આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે. ભારતમાં શ્રીલંકાના હાઈ કમિશનર મિલિન્ડા મોરાગોડાએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેને ભારતની મુલાકાત માટે ઔપચારિક આમંત્રણ આપ્યું છે.