આ વર્ષે ભારત દ્વારા યોજાનાર ODI વર્લ્ડ કપમાં સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે થવાની છે. આ શાનદાર મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. પરંતુ સમાચાર આવી રહ્યા છે કે આ મેચની તારીખ બદલાઈ શકે છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.