નર્મદા જિલ્લામાં જનભાગીદારી દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હાથ ધરાયુ
ગરુડેશ્વર તાલુકાના લોકો જાગૃત અને જવાબદાર નાગરિક બની નઘાતપોર ગ્રામ પંચાયત સહિત ધાર્મિક સ્થળોએ સફાઇ કરી સેવામા સહભાગી બન્યા.
રાજપીપલા : પૂજ્ય ગાંધીજીના 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા' ના મંત્રને ચરિતાર્થ કરી, સ્વચ્છતા હી સેવા-૨૦૨૩' ઝુંબેશમાં સક્રિય સહયોગ આપવાની સાથે સ્વચ્છ-સ્વસ્થ અને નિર્મળ ગુજરાતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે. ગુજરાતના સ્વચ્છતાગ્રહી લોકોના પ્રયાસો થકી સ્વચ્છતા અભિયાન જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અને લોકો તેને રોજીંદા રૂટિનમાં વણી લઇને કામ કરી રહ્યા છે.
આ અભિયાનના ભાગરૂપે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના લોકો જાગૃત અને જવાબદાર નાગરિકની તેમની ફરજ અદા કરી નઘાતપોર ગ્રામ પંચાયત, આસપાસનો વિસ્તારના ગામોમાં, ધાર્મિક-જાહેર સ્થળોએ સફાઇ અભિયાન હાથ ધરી સ્વચ્છતાની ચેતના જગાવી છે તેમજ સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાતના મંત્ર સાથે સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત"ના નિર્માણમા સહભાગી બની કદમ સે કદમ મિલાવી કામ કરી રહ્યા છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.