સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે “સ્વરક્ષણ કરાટે” તાલીમનું ઉદ્ઘાટન કરાયું
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે ડો.અનિલાબેન કે.પટેલની અધ્યક્ષતામાં રુસા ૧.૦ રૂસા કમ્પોનન્ટ-૯ અંતર્ગત તા. ૧૭ મી એ મહિલા સશક્તિકરણ જાગૃતિ માટે સ્વરક્ષા કરાટેની તાલીમનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
રાજપીપલા : સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે ડો.અનિલાબેન કે. પટેલની અધ્યક્ષતામાં રુસા ૧.૦ રૂસા કમ્પોનન્ટ-૯ અંતર્ગત તા. ૧૭ મી એ મહિલા સશક્તિકરણ જાગૃતિ માટે સ્વરક્ષા કરાટેની તાલીમનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જ્યાં મહિલાઓ પોતે તો પોતાની સુરક્ષા કરે તથા તેમનામાં આત્મવિશ્વાસનું સિંચન થાય તેવા આશય સાથે આ શિબિરમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અનિલાબેન કે. પટેલ કાર્યક્રમ અનુરૂપ ઉદબોધન કરીને વિદ્યાર્થીનીઓને આત્મરક્ષા અને આત્મવિશ્વાસ અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
મહિલાઓના સર્વાંગી વિકાસ અને સ્કીલ ડેવલપમેન્ટને કેન્દ્રએ રાખીને માસ્ટર ટ્રેનર શ્રી ભીમસીગભાઇ વસાવા દ્વારા કરાટે કૌશલ્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૯૨ વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા. આ તાલીમ ૧૦ દિવસ સુધી આપવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન ડો.રમેશભાઇ કે. વસાવા અને શ્રી સંજયકુમાર એસ. પરમારે કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન CWDC સેલના કૉર્ડિનેટર પ્રા.જયશ્રીબેન વસાવા સમિતિના સભ્ય પ્રા.યોગેશ્વરીબેન અને પ્રા. ગામિત કિંજલબેને કર્યુ હતુ.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.