ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન દ્વારા ૧૦૦ થી વધારે દર્દી ને આજે ફ્રી માં ડાયાલિસીસ કરવામાં આવ્યું
GUJARAT NEPHROLIST ASSOCIATION દ્વારા PMJAY ડાયાલિસીસ ના વિરોધમાં તારીખ ૧૪ થી ૧૬ ઓગસ્ટ સુધી PMJAY યોજના અંતર્ગત ડાયાલિસીસ આખા ગુજરાતમાં બંધ રાખવામાં આવેલ છે.
GUJARAT NEPHROLIST ASSOCIATION દ્વારા PMJAY ડાયાલિસીસ ના વિરોધમાં તારીખ ૧૪ થી ૧૬ ઓગસ્ટ સુધી PMJAY યોજના અંતર્ગત ડાયાલિસીસ આખા ગુજરાતમાં બંધ રાખવામાં આવેલ છે.
સોમવાર તારીખ ૧૪ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ગુજરાતના બધા શહેરોમાં મોટી સંખ્યામાં દર્દીઓ તેમજ ડાયાલિસીસ ટેકનીશીયનો દ્વારા કલેક્ટર તેમજ મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવેલા.
દર્દીઓએ એવી રજૂઆત કરી હતી કે, 80% PMJAY ડાયાલિસીસ પ્રાઇવેટ હોસ્પિટલોમાં કરવામાં આવે છે. જો ઘટાડેલા દરના લીધે પ્રાઇવેટ હોસ્પિટલોમાં PMJAY ડાયાલિસીસ બંધ થઇ જાય તો સરકારી હોસ્પિટલ આ સુવિધા આપી શકશે ?
આ ઉપરાંત કિડની હોસ્પિટલ અમદાવાદ સિવાય કોઈ જગ્યાએ સરકારી હોસ્પિટલમાં નેફ્રોલોજીસ્ટ ડોક્ટર ઉપલબ્ધ નથી તો અમે નેફ્રોલોજીસ્ટ વગર કેવી રીતે ડાયાલિસીસ લઇ શકીયે ?
આ ત્રણ દિવસમાં કોઈપણ ડાયાલિસીસ દર્દીને કોઈ તકલીફ ના થાય તેની ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસિયેશન દ્વારા વિષેશ કાળજી લેવાઈ છે. ઘણા દર્દીઓને રવિવારે જ ડાયાલિસીસ આપી દેવાયું હતું. ૧૦૦ થી પણ વધારે દર્દી ને સોમવારે ફ્રી માં ડાયાલિસીસ આપવામાં આવ્યું. તેમજ ઇમરજન્સી સારવાર ચાલુ રાખવામાં આવશે.
જો આ ત્રણ દિવસ માં સરકાર કોઈ ઉકેલ નહિ લાવે તો આખરી વિકલ્પ તરીકે ગુજરાતના તમામ ૧૨૦ નેફ્રોલોજીસ્ટ PMJAY યોજનામાંથી તેમનું નામ પાછું ખેંચવાની તૈયારી બતાવી છે.
અમદાવાદ સિવાયના સરકારી ડાયાલિસીસ સેન્ટરમાં પણ પ્રાઇવેટ નેફ્રોલોજીસ્ટ જ સેવા આપે છે, જો આવું થશે તો સરકારી સેંટર પણ નેફ્રોલોજીસ્ટ વિહોણા થઇ જશે.
AHNA ( Gujarat Hospitals And Nursing Home Association ) એ પણ આંદોલન ને સમર્થન આપ્યું છે , અને CM શ્રી ભુપેન્દ્રભાઈ ને એમાં હસ્તક્ષેપ કરી તાકીદે નિવારણ લાવવા વિનંતી કરી છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.