ગુજરાતના 3 અધ્યાપકોને ટેકનિકલ અને હાયર એજ્યુકેશનનો 'નેશનલ એવોર્ડ ટુ ટીચર્સ 2023' એનાયત કરવામાં આવશે
ગાંધીનગર આઈઆઈટીના પ્રોફેસર ઇન્દ્રનાથ સેનગુપ્તા અને ગાંધીનગર ઇડીઆઇના ડો. સત્ય રંજન આચાર્યએ પણ નેશનલ એવોર્ડ ટુ ટીચર્સ 2023 જીત્યો, ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદના ઝંખના મહેતા સહિત કુલ 3 અધ્યાપકોએ રાજ્યનું નામ રોશન કર્યું.
ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવતા ટીચર્સ નેશનલ એવોર્ડમાં આ વર્ષે ટેકનિકલ અને હાયર
એજ્યુકેશન એવોર્ડમાં 3 ગુજરાતી અધ્યાપકોને વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે. શિક્ષકદિન પૂર્વે ગુજરાતના ત્રણ અધ્યાપકોએ આ સિદ્ધિ પ્રાપ્ત કરીને
રાષ્ટ્ર કક્ષાએ રાજ્યનું નામ રોશન કર્યું છે.
અમદાવાદના આંબાવાડી ખાતે સરકારી પોલીટેકનિકમાં લેકચરર તરીકે ફરજ બજાવતા શ્રી ઝંખના મહેતા, આઈઆઈટી ગાંધીનગરના પ્રોફેસર
ઇન્દ્રનાથ સેનગુપ્તા અને ગાંધીનગર ઇડીઆઇ(એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા)ના પ્રોફેસર ડો. સત્ય રંજન આચાર્યને શિક્ષક દિન (5 મી સપ્ટેમ્બર)ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ બહુમાન બદલ ત્રણેય અધ્યાપકોને ભારત સરકાર દ્વારા પ્રમાણપત્ર, ₹50,000 નો કેશ રિવોર્ડ અને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા હવે આઈટીઆઈ, પોલીટેકનિક, નેશનલ સ્કીલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના સહિત ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોના ટેકનિકલ અને હાયર એજ્યુકેશન સાથે સંકળાયેલા પ્રોફેસર અને લેક્ચરરને પણ 'નેશનલ એવોર્ડ ટુ ટીચર્સ'
આપવામાં આવે છે.
શિક્ષકો અને અધ્યાપકોને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવાનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રે દેશના શ્રેષ્ઠ શિક્ષકોના અનન્ય યોગદાનની ઉજવણી કરવાનો
અને એવા શિક્ષકો અને અધ્યાપકોનું સન્માન કરવાનો છે જેમણે તેમની પ્રતિબદ્ધતા અને મહેનત દ્વારા માત્ર શિક્ષણની ગુણવત્તામાં સુધારો જ નથી કર્યો, પરંતુ તેમના વિદ્યાર્થીઓના જીવનને પણ સમૃદ્ધ બનાવ્યું છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.