ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 397 દર્દીઓ નોંધાયા
ગુજરાત રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા કુલ 1992 જ્યારે 04 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 397 કેસ નોંધાયા છે. જ્યારે 350 દર્દીઓ સાજા થયાં છે.આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ અને મહેસાણામાં એક એક દર્દીનું મોત નિપજ્યું છે. આજે અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 139 કેસ નોંધાયા છે.
અમદાવાદ જિલ્લામાં કોરોનના સૌથી વધુ 139 કેસ નોંધાયા છે. મહેસાણામાં 46, વડોદરા જિલ્લામાં 38, સુરત જિલ્લામાં 41, રાજકોટ જિલ્લામાં 13, ગાંધીનગર જિલ્લામાં 7, વલસાડમાં 20, મોરબીમાં 16, સાબરકાંઠામાં 16, આણંદમાં 9, ભરૂચમાં 9, અમરેલીમાં 8, બનાસકાંઠામાં 6, પાટણમાં 5, નવસારીમાં 4, ભાવનગર જિલ્લામાં 4, દાહોદમાં 3, પંચમહાલમાં 3, જામનગરમાં 2, પોરબંદરમાં 2, સુરેન્દ્રનગરમાં 2, ગીર સોમનાથ 1, ખેડામાં 1, કચ્છમાં 1 અને મહિસાગરમાં 1 કેસ નોંધાયો છે.
અમદાવાદમાં સતત ચોથા દિવસે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. તે ઉપરાંત મહેસાણામાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11065 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 1992 એક્ટિવ કેસ છે. 04 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 1988 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.98 ટકા થઈ ગયો છે.
અમદાવાદ સ્થિત ક્યોર સાઇટ લેસર સેન્ટર (CSLC)રિફ્રેક્ટિવ લેસર સર્જરીનાં ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC વિશ્વનું એક માત્ર લેસર આય સેન્ટર છે, જે વિશ્વનાં પાંચ શ્રેષ્ઠ લેસર મશીન ધરાવે છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે.
જાપાનની સેમિકન્ડક્ટર સેક્ટરની કંપનીઝ ગુજરાતમાં આવવા ઉત્સુક. ઓટોમોબાઇલ ઉપરાંત રિન્યુએબલ એનર્જી-ગ્રીન એમોનિયા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુજરાત સાથે રોકાણો વધારવા અંગે પરામર્શ.