ઈમ્યુનિટીને ટેકો આપવાં 4 નૈસર્ગિક ખાદ્યો
મોસમ બદલાય તેમ તમારી ઈમ્યુન સિસ્ટમ મજબૂત બનાવવા અને ઉત્તમ આકારમાં રહેવા માટે સ્વસ્થ, સંતુલિત આહાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું મહત્ત્વપૂર્ણ છે. તમારા રોજના આહારમાં બદામ, મોસમી ફળો અને શાકભાજીઓ જેવાં નૈસર્ગિક ખાદ્યો ઉમેરવાથી બીમારીઓ સામે લડવા માટે તમારા શરીરને જરૂરી વધારાનો જોશ પૂરી પાડી શકે છે. અહીં તમારી ઈમ્યુનિટીને સપોર્ટ કરી શકે અને મોસમી ફ્લૂ અને બીમારીને દૂર રાખવા મદદરૂપ થવા માટે પાંચ નૈસર્ગિક ખાદ્યો વિશે માહિતી આપી છે.
મોસમ બદલાય તેમ તમારી ઈમ્યુન સિસ્ટમ મજબૂત બનાવવા અને ઉત્તમ આકારમાં રહેવા માટે સ્વસ્થ, સંતુલિત આહાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું મહત્ત્વપૂર્ણ છે. તમારા રોજના આહારમાં બદામ, મોસમી ફળો અને શાકભાજીઓ જેવાં નૈસર્ગિક ખાદ્યો ઉમેરવાથી બીમારીઓ સામે લડવા માટે તમારા શરીરને જરૂરી વધારાનો જોશ પૂરી પાડી શકે છે. અહીં તમારી ઈમ્યુનિટીને સપોર્ટ કરી શકે અને મોસમી ફ્લૂ અને બીમારીને દૂર રાખવા મદદરૂપ થવા માટે પાંચ નૈસર્ગિક ખાદ્યો વિશે માહિતી આપી છે.
બદામ સ્વાદિષ્ટ હોવા સાથે તેમાં વિટામિન ઈ, ઝિંક, ફોલેટ અને આયર્ન, પોષકો સમાવિષ્ટ છે, જે ઈમ્યુન કામગીરી માટે મહત્ત્વપૂર્ણ છે. નાસ્તામાં રોજ મુઠ્ઠીભર ખાવાથી અથવા પોષક આધાર આપવા માટે તમારા સવારના નાસ્તાના સિરીલમાં તે ભભરાવો.
ખાટાં રસનાં ફળ, જેમ કે, સંતરાં, લીંબું, મોસંબી અને ગ્રેપફ્રૂટ વિટામિન સી સમૃદ્ધ હોય છે, જે પોષક ચેપ સામે શરીરને લડવા જરૂરી સફેદ રક્તકોષો પેદા કરવા માટે જરૂરી છે. આ ફળો તમારા આહારમાં લેવાથી તમારું વિટામિન સી સેવન વધે છે, જે તમારી ઈમ્યુન સિસ્ટમને ટેકો આપે છે.
લસણ ઔષધીય ઉપયોગનો લાંબો ઈતિહાસ ધરાવે છે, જે તેના જીવાણુવિરોધી ગુણો માટે જાણીતું છે, જે તેમાંના નૈસર્ગિક સંમિશ્રણ એલિસિનને આભારી છે. તમારા આહારમાં લસણ ઉમેરવાથી સ્વાદ વધવા સાથે સૂક્ષ્મ- જીવો સામે લડવામાં પણ મદદ થાય છે. રસો, સૂપ, સ્ટિયર- ફ્રાઈઝ અને સોસમાં સ્વાદ અન સ્વાસ્થ્ય માટે છૂંદેલા લસણનો ઉમેરો કરો.
પાલક, સરગવાની શીંગનાં પાન, અમરંથ પાન, ફુદીનો જેવી લીલાં પાનની શાકભાજીઓ અને વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ્સનો સમાવેશ ધરાવતાં અન્ય ઈમ્યુન કામગીરીમાં ભૂમિકા ભજવે છે. આ લીલી શાકભાજીઓમાં વિટામિન એ અને સી, ફોલેટ, પોષકો હોય છે, જે સ્વસ્થ ઈમ્યુન સિસ્ટમને ટેકો આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમારા ભોજનમાં પોષણ અને સ્વાદ માટે રસો, ગ્રેવી, દાળ, સલાડમાં લીલી શાકભાજીના વિવિધ પ્રકાર ઉમેરો.
સવારે ઉઠીને સૌથી પહેલા આદુનું પાણી પીવાના ઘણા ફાયદા છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ધ્યેય વજન ઘટાડવાનો હોય, રોગપ્રતિકારક શક્તિ વધારવાનો હોય કે પાચનમાં સુધારો કરવાનો હોય, તે રામબાણ સાબિત થઈ શકે છે.
આમળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેના કારણે તમને કબજિયાતની સમસ્યા નહીં થાય. સાથે જ તે ગેસ્ટ્રિક જ્યુસ પણ બહાર કાઢે છે જેના કારણે ખાવાનું સરળતાથી પચી જાય છે અને તમને પેટમાં દુખાવો, ગેસ જેવી સમસ્યા નથી થતી આ સિવાય રોજના આહારમાં આમળાના ઘણા ફાયદા છે, ચાલો જાણીએ.
ચોમાસા દરમિયાન વાતાવરણમાં ખૂબ ભેજ હોય છે અને તેના કારણે બેક્ટેરિયાના ચેપનો ભય પણ વધી જાય છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તેઓ વારંવાર બીમાર પડી શકે છે, તેથી તેમના આહારમાં કેટલાક કુદરતી પીણાંનો સમાવેશ કરો.