રાજ્યમાં ૫૧ સ્થળો એ ૫૫૦૦૦થી વધુ પોલીસ જવાનોને અપાશે કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ: હર્ષ સંઘવી
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સુરતના ઉમરા પોલીસ સ્ટેશન તેમજ રાજયમંત્રી મંડળના સભ્યો સહિત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સંગઠનના મહાનુભાવો વિવિધ સ્થળે રહેશે ઉપસ્થિત
ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંઘવી એ જણાવ્યું છે કે, રાજ્યમાં ૫૧ સ્થળોએ સ્વાસ્થ્ય અને સલામતી ના ભાગરૂપે આવતીકાલ તા.૧૧ જૂનના રોજ ૫૫ હજારથી વધુ પોલીસ જવાનોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવશે. આ એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતેથી તાલીમનો શુભારંભ કરાવશે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સુરતના ઉમરા પોલીસ સ્ટેશન ખાતે તેમજ રાજયમંત્રી મંડળના સભ્યો સહિત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સંગઠનના મહાનુભાવો વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહેશે.
મંત્રી શ્રી સંઘવી આ કાર્યક્રમની મીડિયાને વિગતો આપતા કહ્યું કે, સમગ્ર વિશ્વમાં ૦૩ થી ૭૯ ટકા લોકો કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન CPR વિષે જાણતા હોય છે માટે આ CPR વિષે રાજ્યના નાગરિકોમાં વધુમાં વધુ જાણકારી થાય એ આશયથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ એક ખાસ મુહિમ હાથ ધરવાનું આયોજન કરાયું છે.તેમણે ઉમેર્યું કે, કોરોનાકાળ પછી હાર્ટ અટેકથી નાની વયે મૃત્યુ થવાનો દર વધ્યો છે ત્યારે માનવી ની મહામૂલી જીંદગી બચાવવા માં રાજયના પોલીસ જવાનો પણ મદદરૂપ બને તે આશયથી આ તાલીમ આપવાનું નક્કી કરાયું છે.સામાન્ય રીતે હૃદયનો હૂમલો આવવાથી ૧૦૮ને ત્વરીત બોલાવતા ૦૫ થી ૧૦ મીનીટનો સમય જતો હોય છે.તે ૦૫ થી ૧૦ મીનીટ દરમિયાન મગજ સુધી લોહી ના પહોંચે તો દર્દીનું મૃત્યુ થતુ હોય છે આવુ ન થવા દેવા માટે આ CPR ટ્રેનીંગ અત્યંત મહત્વની છે.
મંત્રી શ્રી એ ઉમેર્યું કે,આ એક દિવસીય કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) તાલીમ ડૉકટર સેલ ટીમ અને ISA ગુજરાત ચેપ્ટરના સહયોગથી યોજાશે.જેમાં ૫૫,૦૦૦ થી વધારે ગુજરાત પોલીસ કર્મીઓને આ CPR ટ્રેનીંગ આપવામાં આવશે.જેમાં ગુજરાત ની ૩૭ મેડિકલ કોલેજો અને અન્ય ૧૪ સ્થળો પર ૨૫૦૦ થી વધુ ડૉકટરો અને તબીબી વ્યાવ સાયિકો દ્વારા આ ટ્રેનીંગ સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ રીતે અપાશે.આ જ સમયે આ ૫૫,૦૦૦ થી વધારે પોલીસ કર્મીઓ અંગદાન માટેની (PLEDGE) પ્રતિજ્ઞાનું રજીસ્ટ્રેશન પણ કરશે.
મંત્રી શ્રી એ ઉમેર્યું કે આ કાર્યક્રમ સમગ્ર રાજયમાં ૫૧ સ્થળો પર સવારે ૧૦.૦૦ થી સાંજે ૦૫.૦૦ કલાક સુધી યોજાશે જેમાં ૧૨૦૦ થી ૧૫૦૦ ISAના ડૉકટર તજજ્ઞો દ્વારા ટ્રેનીંગ આપવામાં આવશે તેમજ દરેક કોલેજોમાં ૧૦-૧૨ મોડેલ (મેનીકીન) ઉપર ટ્રેનીંગ આપવામાં આવશે. ટ્રેનીંગ પુર્ણ થયા પછી દરેક કાર્યકરને ISA અને અંગદન માટેનું PLEDGE અને સર્ટીફિકેટ પણ એનાયત કરાશે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.