મોડાસામાં કૉલેજ ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામા કૉલેજના 77 વિદ્યાર્થીઓ પ્રાથમિક ધોરણે પસંદગી પામ્યા
ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાયો. જેમાં કુલ સાત કંપનીના એમ્પ્લોયરો હાજર રહ્યા. જેમાં કુલ ૯૧ નોકરી વાંચ્છું ભાઈઓ બહેનોએ પોતાની કારકિર્દી માટે ભાગ લઈ તમામે પોતાનો મૌખિક ઇન્ટરવ્યૂ આપ્યો.
ધનસુરા : શ્રી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ. કે. શાહ એન્ડ શ્રીકૃષ્ણ ઓ. એમ. આર્ટસ કોલેજ કોમર્સ કોલેજ ના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળો આર્ટસ કૉલેજ ના પ્રિન્સીપાલ ડૉ ડી.એચ.જોષી . કોમર્સ કૉલેજ ના પ્રિન્સીપાલ મોહનભાઈ પટેલ. જિલ્લા રોજગાર ના ધારાબેન પંડ્યા માર્ગદર્શન હેઠળ જિલ્લા રોજગાર કચેરી મોડાસા દ્વારા આયોજિત ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાયો.
જેમાં કુલ સાત કંપનીના એમ્પ્લોયરો હાજર રહ્યા. જેમાં કુલ ૯૧ નોકરી વાંચ્છું ભાઈઓ બહેનોએ પોતાની કારકિર્દી માટે ભાગ લઈ તમામે પોતાનો મૌખિક ઇન્ટરવ્યૂ આપ્યો. જેમાંથી ૭૭ વિધાર્થીઓ પ્રાથમિક બેઝ પર સિલેક્ટ થયા.આ કાર્યક્રમને સફળ બનાવવામાં મંડળના પ્રમુખ શ્રીનવીનચંદ્ર આર.મોદી તથા મંડળનાં પ્રભારી મંત્રીશ્રી મહેન્દ્રભાઈ શાહે આ કાર્યક્રમની શુભેચ્છા પાઠવી હતી. આ ભરતીમેળાનુ સફળ સંચાલન કો. ઓર્ડીનેટર પ્રા કમલેશ ગોસ્વામી અને કે. કે મુજપરાએ કર્યું.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.