આણંદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનના એક મહિના દરમિયાન ૯૫૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો
સ્વચ્છ ભારત મિશન અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા સ્વચ્છતા હી સેવા સૂત્રને અપનાવીને સમગ્ર દેશમાં વિવિધ સ્વચ્છતાલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે તા. ૧૫ મી સપ્ટેમ્બર થી ૧૫ મી ઓક્ટોબર, ૨૦૨૩ સુધી સમગ્ર રાજ્યમાં ઉજવાયેલા સ્વચ્છતા પખવાડીયામાં આણંદ જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી વિવિધ કામગીરી કરવામાં આવી છે.
આણંદ : સ્વચ્છ ભારત મિશન અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા સ્વચ્છતા હી સેવા સૂત્રને અપનાવીને સમગ્ર દેશમાં વિવિધ સ્વચ્છતાલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે તા. ૧૫ મી સપ્ટેમ્બર,૨૦૨૩ થી તા. ૧૫ મી ઓક્ટોબર, ૨૦૨૩ સુધી સમગ્ર રાજ્યમાં ઉજવાયેલા સ્વચ્છતા પખવાડીયામાં આણંદ જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી વિવિધ કામગીરી કરવામાં આવી છે.
આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા નગરપાલિકા હદ વિસ્તારમાં આવતાં તમામ વોર્ડમાં સાફ-સફાઇનું કામ કરવાની સાથે શહેરના વધુ અવર-જવરવાળા વિસ્તારોમાં ખાસ સફાઇ ઝુંબેશ હાથ કામગીરી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આણંદ નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ સ્વચ્છતા ઝુંબેશમાં બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, મહાપુરૂષોની પ્રતિમાઓ, શહેરના મુખ્ય પ્રવેશ દ્વારો અને મુખ્ય પ્રવેશ માર્ગો વગેરે સ્થળો પર કરવામાં આવેલી સફાઇ કામગીરી દરમિયાન કુલ ૯૫૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે આણંદ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ સ્વચ્છતાલક્ષી કામગીરીમાં નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, સીટુસી એનજીઓ, સફાઇ કામદારો સહિત શહેરીજનો પણ ઉત્સાહપૂર્વક સહભાગી બન્યાં હતાં.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી