નર્મદા જિલ્લાનાં નાંદોદનાં ધાનપોર ગામ ખાતે ગ્રામસભા યોજાઈ
ગ્રામ પંચાયત કક્ષાએ ગ્રામસભા મળે અને પંચાયત વિકાસ સૂચકાંકનો ઉદેશો સિધ્ધ થાય તેમજ વધુને વધુ લોકભાગીદારીથી ગ્રામસભાનું સરળતા પૂર્વજ સંચાલન થાય તે હેતુથી
આજરોજ નાંદોદ તાલુકાના ધાનપોર ગામ ખાતે ગ્રામસભા યોજી હતી.
રાજપીપળા: ગ્રામ પંચાયત કક્ષાએ ગ્રામસભા મળે અને પંચાયત વિકાસ સૂચકાંકનો ઉદેશો સિધ્ધ થાય તેમજ વધુને વધુ લોકભાગીદારીથી ગ્રામસભાનું સરળતા પૂર્વજ સંચાલન થાય તે હેતુથી આજરોજ નાંદોદ તાલુકાના ધાનપોર ગામ ખાતે ગ્રામસભા યોજી હતી.
તલાટી સુશ્રી રિધ્ધી દ્વારા ગ્રામનો સમક્ષ ગરીબી મુક્ત અને રોજગારી ઉન્નત ગામ, સ્વસ્થ ગામ,
આત્મનિર્ભર આધારરૂપ વ્યવસ્થા ધરાવતુ ગામ, સામાજિક રીતે સુરક્ષિત ગામ, પૂરતુ પાણી ધરાવતુ ગામ, સ્વચ્છ અને હરિયાળુ ગામ, મહિલા મૈત્રીપૂર્ણ ગામ, બાળ મૈત્રીપુર્ણ ગામ, સુશાસિત ગામ બનાવવા અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી. ઉપરાંત ગામમાં માળખાકીય સુવિધાઓ માટે સંબંધિત વિભાગો દ્વારા કયા કયા પગલા લેવાયા છે. જેમાં બાકી રહી ગયેલ સુવિધાઓ અંગે ગ્રામજનોએ રજૂઆત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, નાંદોદ તાલુકાનાં રાજુવાડીયા, રાણીપરા, રૂંઢ, રસેલા, જુનારાજ,
પ્રતાપનગર, ભચરવાડા, ભુછાડ, પ્રતાપપરા અને ગરુડેશ્વર તાલુકાનાં અકતેશ્વર, ટીમરવા, નવા વાઘપરા, ભીલવશી, ગાડકોઈ, ગડોદ, પીછીપુરા, ઉંડવા, મોખડી તેમજ તિલકવાડા તાલુકાનાં ચુંડેશ્વર, ઉચાદ, રતુડીયા, નમારીયા જયારે સાગબારા તાલુકાનાં ઉભારીયા, સોરાપાડા, મોવી, નાલ, ભાદોડ, પરોઢી ગામ ખાતે પણ ગ્રામસભા યોજાઈ હતી.
ધાનપોર ગામ ખાતે યોજાયેલી ગ્રામસભામાં ગામનાં સરપંચ શ્રીમતી દક્ષાબેન વસાવા,
ઉપસરપંચ શ્રી પટેલ પીયુષભાઈ, ગ્રામસેવક શ્રીમતી ચૌધરી જયશ્રીબેન, CHO સુશ્રી પટેલ અનુરાધા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.