જિલ્લા કલેક્ટર દિગ્વીજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને રોડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઈ
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે રોડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી.
ગીર સોમનાથ : જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે રોડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે લેવાના થતા પગલાઓ તેમજ બ્લેકસ્પોટ, રોડ પર લાઈટ વગેરે વિશે મહત્વના વિભાગો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
કલેક્ટરશ્રીએ રોડ સેફ્ટી સંલગ્ન તમામ વિભાગોની કામગીરી સમીક્ષા કરી હતી તેમજ માર્ગ અકસ્માતનાં સ્થળોની તપાસણી, બ્લેક સ્પોટ્સ અન્વયે અકસ્માત ઘટાડવા માટેના પગલા, ભયજનક ડ્રાઈવિંગ, નમસ્તે સર્કલ પાસે વેરાવળ અંદર પ્રવેશતા આવતા અડચણો, નડતરરૂપ બોર્ડ દૂર કરવા તેમજ રેડિયમ રિફ્લેક્ટર વગેરે અંગે કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ સહિત આર.ટી.ઓ, પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, વન વિભાગ, નેશનલ હાઈવે ઓથોરીટી, વગેરે વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી