ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટ અને સરસ્વતી સંગીત કલાસ દ્વારા ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો
ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટ અને સરસ્વતી સંગીત કલાસ, અર્જુન ટાવર ઘાટલોડિયા દ્વારા શહેરના ફૂટપાથો ઉપર વસતા, બ્રિજ નીચે અને ખુલ્લા મેદાનમાં સુઇ જતા શ્રમિકોના પરિવારોને 1000 જેટલા ગરમ ધાબળા, કપડાં તેમજ બિસ્કિટ,ચોકલેટ-વેફરના પેકેટસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ : ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટ અને સરસ્વતી સંગીત કલાસ, અર્જુન ટાવર ઘાટલોડિયા દ્વારા શહેરના ફૂટપાથો ઉપર વસતા, બ્રિજ નીચે અને ખુલ્લા મેદાનમાં સુઇ જતા શ્રમિકોના પરિવારોને 1000 જેટલા ગરમ ધાબળા, કપડાં તેમજ બિસ્કિટ,ચોકલેટ-વેફરના પેકેટસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક શ્રી વિક્રમ પટેલે જણાવ્યું હતું કે ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટ અને સરસ્વતી સંગીત કલાસ દ્વારા શહેરમાં આવેલા બોપલ, એસ.પી.રીગ રોડ, એસ.જી. હાઈવે, નારણપુરા, જોધપુર ઘાટલોડિયા, વાસણા તેમજ અમદાવાદ પૂર્વના અમરાઈવાડી, ખોખરા, નિકોલ જેવા વિસ્તારોમાં આવેલા ફૂટપાથો ઉપર વસતા, બ્રિજ નીચે અને ખુલ્લા મેદાનમાં પોતાનું જીવનનિર્વાહ કરતાં શ્રમિક પરિવારોને 1000 જેટલા ગરમ ધાબળા, કપડાં, બૂટ-ચંપલ તેમજ બિસ્કિટ, ચોકલેટ, વેફરના પેકેટસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ વિતરણ માટે ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટને આર્થિક સહયોગ આપવા બદલ શ્રી અંબાલાલ પટેલ - આશિષ પટેલ(અવની જ્યોતિ ફાઉન્ડેશન), દિનેશ ગુપ્તા, હર્ષદ શાહ, કમલેશ પટેલ, હરેશ પટેલ, ચંદ્રિકા ત્રિવેદી, મનીષ સોની, પ્રીતિ પટેલ, અરવિંદ રોહિત, અશોક રાવલ, દિનેશ દેસાઈ, પાર્થિવ પટેલ, ડો શશીન શાહ અને પીયૂષ મોદીનો સંસ્થા આભાર માને છે. ધાબળા વિતરણમાં પ્રેમલ પારેખ, મહેશ પારેખ, વિશ્વ પટેલ, કપિલ કોષ્ટી, મહેશ પરમાર વૈભવ પટેલ, મિત પટેલ, અક્ષત પટેલ અને ધ્રુવ પટેલ દ્વારા સેવા આપવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.