નર્મદા પોલીસ દ્વારા રાજપીપળા પો.સ્ટે.ખાતે બ્લડ કેમ્પ યોજાયો
આવનારા તહેવારોને અનુલક્ષી ને પોલીસ વિભાગ દ્વારા માનવતાનાં ધોરણે બ્લડ કેમ્પનું આયોજન કરાયું, - ટાઉન પીઆઈ સહિત પોલીસ સ્ટાફનાં માણસો અને હિન્દુ,મુસ્લિમ દાતાઓએ લોહી આપ્યું.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે નર્મદા પોલીસ દ્વારા ઘણા સેવાકાર્યો કરવામાં આવે છે જેમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેનાં માર્ગદર્શન અને ડીવાયએસપી જી.એ. સરવૈયા નાંઓની સૂચના મુજબ નજીકના દિવસોમાં આવનારા ગણપતિ વિસર્જન અને ઈદ એ મિલાદનાં તહેવારોને ધ્યાને લઈ સોમવારે રાજપીપળા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી ત્યારબાદ મંગળવારે સવારે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં એક બ્લડ કેમ્પનું આયોજન થયું જેમાં રાજપીપળા ટાઉન પીઆઈ આર.જી.ચૌધરી સહિત પોલીસ સ્ટાફના માણસો તેમજ હિન્દુ મુસ્લિમ દાતાઓએ લોહી આપ્યું હતું.આમ નર્મદા પોલીસ રાજપીપળા સહિત જિલ્લામાં કોઈપણ તહેવારો માં શાંતિ જળવાઈ રહે તે દિશા માં હમેશા તત્પર રહી આયોજકો સાથે મિટિંગનું આયોજન કરે છે તેમજ બ્લડ કેમ્પ સહિત નાં લોકઉપયોગી સેવાકાર્યો પણ કરે છે ત્યારે અહીં પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાક્ય સાર્થક જરૂર થતું જણાય છે.
નવું આધાર ગવર્નન્સ પોર્ટલ જીવનને સરળ બનાવશે, સેવાઓને વધુ લોકો માટે મૈત્રીપૂર્ણ બનાવશે અને નાગરિકો-કેન્દ્રિત સેવાઓની પહોંચમાં સુધારો કરશે.
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.