ઉપલેટાના કોલકી રોડ પર આવેલ વેણુ સિંચાઇ યોજનાની જર્જરિત પાણી ભરેલી ટાંકી ધળાકા ભેર તૂટી પડી
ઉપલેટાના કોલકી રોડ પાસે આવેલ વેણુ સિંચાઇની 6 લાખ લીટર ની પાણી ભરેલ ટાંકી તંત્ર ની બેદરકારીને લઈ તૂટી પડવાનો બનાવ સામે આવ્યો છે.
ઉપલેટાના કોલકી રોડ પાસે આવેલ વેણુ સિંચાઇની 6 લાખ લીટર ની પાણી ભરેલ ટાંકી તંત્રની બેદરકારીને લઈ તૂટી પડવાનો બનાવ સામે આવ્યો છે. બપોરના સમયે પાણી થી ભરેલી ટાંકી તૂટી પડવાથી અચાનક પાણીનો મારો આવી પડતા સ્થાનિક લોકોમાં નાસભાગ થઈ હતી.
વેણુ સિંચાઇની આ પાણીની ટાંકી ઘણા સમયથી જર્જરિત હોય જેને લઈ સ્થાનિક લોકોએ પાણીની ટાંકી કોઈ જાનહાની ન થાય તેના પહેલા તોડી પાડવા નગરપાલિકા, મામલતદાર તેમજ જિલ્લા કલેકટરને લેખિતમાં અરજીઓ કરી હતી અને એકદમ તૂટી પડવાને આરે હોય જેને કારણે પાણી ન ભરવા પણ રજૂઆતો કરાઈ હતી.
પણ તંત્રની ઘોર બેદરકારીને કારણે એક પણ તંત્રના અધીકારીઓએ આ વિષય પર ધ્યાન ન આપતા છેલ્લે પાણી ભરેલી ટાંકી તૂટી પડવાની ઘટના સામે આવી હતી. જ્યારે આ ટાંકી તૂટી પડવાનો ધળાકા ભેર અવાજ આવતા સ્થાનિક લોકોમાં નાસભાસ થવા લાગી હતી જોકે કોઈ જાનહાની થવા પામી ન હોય સ્થાનિક લોકોમાં થોળી રાહત થવા પામી હતી પણ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કોઈ નિર્ભય તંત્રએ ધ્યાન ન દોરતા આ બનાવ બનવા પામ્યાંનો રોષ ભભૂકી રહ્યો હતો અને હજુ પણ એક એવીજ બીજી ટાંકી પણ નજીકમાં હોય જે પણ તૂટી પડવાની બીકે લોકો તેને પણ કોઈ વધુ જાનહાની ન થાય તેના પહેલા હટાવા તંત્રને રજુઆત કરી હતી.
અમદાવાદ સ્થિત ક્યોર સાઇટ લેસર સેન્ટર (CSLC)રિફ્રેક્ટિવ લેસર સર્જરીનાં ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC વિશ્વનું એક માત્ર લેસર આય સેન્ટર છે, જે વિશ્વનાં પાંચ શ્રેષ્ઠ લેસર મશીન ધરાવે છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે.
જાપાનની સેમિકન્ડક્ટર સેક્ટરની કંપનીઝ ગુજરાતમાં આવવા ઉત્સુક. ઓટોમોબાઇલ ઉપરાંત રિન્યુએબલ એનર્જી-ગ્રીન એમોનિયા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુજરાત સાથે રોકાણો વધારવા અંગે પરામર્શ.