માંગરોલ ગામની વ્યાજબી ભાવની દુકાનમાં નર્મદા નદીના પુરથી મોટું નુકસાન
ઘઉં 104 કટ્ટા,ચોખા ૭૦ કટ્ટા, ખાંડ 15 કટ્ટા,, તેલ 26 કાર્ટુન, એમ ડી એમ, આઇસીડીએસ ચણા સહિતનો જથ્થો પાણીમાં ગરકાવ, ધાનપોર ગામ માં કેળ,પપૈયા, કપાસ,શેરડી,તુવર, શાકભાજી જેવા પાકોને મોટું નુકસાન,સાથે સાથે ડ્રીપની પાઈપ લાઈન, ઝટકા મશીન જેવો સામાન તણાઇ ગયો.
ભરત શાહ દ્વારા - રાજપીપળા : નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાની માંગરોળ ગામની વ્યાજબી ભાવની દુકાનમાં નર્મદા નદીના પુરથી નુકસાન થયું છે. રવિવારે આખા માંગરોળ ગામમાં નર્મદાના પાણી ફરી વળ્યા હતા જેમાં આખું ગામ જાણે પાણીમાં ગરકાવ થયું હતું અનેક મકાનો માલસામાન ને મોટું નુકશાન થયું હતું ત્યારે માંગરોળ ગામની વ્યાજબી ભાવની દુકાનમાં પણ પુર નાં પાણી ભરાઈ જતાં રેશનકાર્ડ ધારકોને કાર્ડ પર આપવાનો અનાજનો લાખો રૂપિયાનાં જથ્થામાં પાણી ઘૂસી જતાં ગામમાં માલ બરબાદ થઈ ગયો હતો.
દુકાનદારે આ બાબતે મામલતદાર સહિતની કચેરીઓમાં જાણ કરી છે.આમ માંગરોળ ગામમાં પુરનાં પાણી ઘૂસ્યા બાદ તબાહી મચી હતી જેમાં અનેક લોકો ઘર વિહોણા બન્યા છે તો ધરતીપુત્રોનાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં તમામ પાક ધોવાઈ જતાં ખેતીમાં મોટું નુકશાન થયું છે.
આવી સ્થિતિ નાંદોદ તાલુકાના અનેક ગામોમાં સર્જાઇ છે જેમાં ધાનપોર ગામમાં પણ ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને મોટું નુકશાન થયું છે અને પાણીની આ કુદરતી આફત માં જે જે ગામોમાં પાણી ભરાયાં હતાં તે પાણી ઉતરતા હાલમાં ત્યાં બિહામણા દૃશ્યો જોવા મળ્યા હતા.
ધાનપોર ગામ માં કેળ, પપૈયા, કપાસ,શેરડી,તુવર, શાકભાજી જેવા પાકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે સાથે સાથે ડ્રીપની પાઈપ લાઈન, ઝટકા મશીન સહિતનો સામાન પણ પાણીમાં તણાઇ જતાં ખેડૂતો મુસીબતમાં મુકાયા છે અને સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.