માંગરોલ ગામની વ્યાજબી ભાવની દુકાનમાં નર્મદા નદીના પુરથી મોટું નુકસાન
ઘઉં 104 કટ્ટા,ચોખા ૭૦ કટ્ટા, ખાંડ 15 કટ્ટા,, તેલ 26 કાર્ટુન, એમ ડી એમ, આઇસીડીએસ ચણા સહિતનો જથ્થો પાણીમાં ગરકાવ, ધાનપોર ગામ માં કેળ,પપૈયા, કપાસ,શેરડી,તુવર, શાકભાજી જેવા પાકોને મોટું નુકસાન,સાથે સાથે ડ્રીપની પાઈપ લાઈન, ઝટકા મશીન જેવો સામાન તણાઇ ગયો.
ભરત શાહ દ્વારા - રાજપીપળા : નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાની માંગરોળ ગામની વ્યાજબી ભાવની દુકાનમાં નર્મદા નદીના પુરથી નુકસાન થયું છે. રવિવારે આખા માંગરોળ ગામમાં નર્મદાના પાણી ફરી વળ્યા હતા જેમાં આખું ગામ જાણે પાણીમાં ગરકાવ થયું હતું અનેક મકાનો માલસામાન ને મોટું નુકશાન થયું હતું ત્યારે માંગરોળ ગામની વ્યાજબી ભાવની દુકાનમાં પણ પુર નાં પાણી ભરાઈ જતાં રેશનકાર્ડ ધારકોને કાર્ડ પર આપવાનો અનાજનો લાખો રૂપિયાનાં જથ્થામાં પાણી ઘૂસી જતાં ગામમાં માલ બરબાદ થઈ ગયો હતો.
દુકાનદારે આ બાબતે મામલતદાર સહિતની કચેરીઓમાં જાણ કરી છે.આમ માંગરોળ ગામમાં પુરનાં પાણી ઘૂસ્યા બાદ તબાહી મચી હતી જેમાં અનેક લોકો ઘર વિહોણા બન્યા છે તો ધરતીપુત્રોનાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં તમામ પાક ધોવાઈ જતાં ખેતીમાં મોટું નુકશાન થયું છે.
આવી સ્થિતિ નાંદોદ તાલુકાના અનેક ગામોમાં સર્જાઇ છે જેમાં ધાનપોર ગામમાં પણ ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને મોટું નુકશાન થયું છે અને પાણીની આ કુદરતી આફત માં જે જે ગામોમાં પાણી ભરાયાં હતાં તે પાણી ઉતરતા હાલમાં ત્યાં બિહામણા દૃશ્યો જોવા મળ્યા હતા.
ધાનપોર ગામ માં કેળ, પપૈયા, કપાસ,શેરડી,તુવર, શાકભાજી જેવા પાકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે સાથે સાથે ડ્રીપની પાઈપ લાઈન, ઝટકા મશીન સહિતનો સામાન પણ પાણીમાં તણાઇ જતાં ખેડૂતો મુસીબતમાં મુકાયા છે અને સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે.
દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યા પછી, સુરત આ પ્રતિષ્ઠિત દરજ્જાને જાળવી રાખવાની સતત જવાબદારીનો સામનો કરે છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શહેર સ્વચ્છતાનું દીવાદાંડી બની રહે તે માટે સક્રિયપણે ભાગ લીધો છે.
સુરેન્દ્રનગરના પરલી ગામમાં પિતાએ પોતાની પુત્રીને તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ ઇજા પહોંચાડી, ત્યારબાદ ઘટનાસ્થળેથી ભાગી જવાની કરુણ ઘટના સામે આવી છે.
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ કે. કૈલાશનાથન, તેમના નિવૃત્ત મુખ્ય અગ્ર સચિવ, 2006 થી તેમની અનુકરણીય સેવા બદલ સન્માન કરે છે. કૈલાશનાથનની પ્રભાવશાળી કારકિર્દી અને યોગદાન વિશે જાણો.