જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિઓની બેઠક યોજાઈ
આ બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી રચનાત્મક સૂચનો કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી લોક સુખાકારીમાં સુધારો-વધારો લાવવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સૌને આપીલ કરાઈ હતી.
રાજપીપલા : નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેકટર
કચેરીના સભાખંડ ખાતે સવારે ૧૧-૦૦ કલાકે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભિમસિંગભાઈ તડવી, નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખ અને સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહીને પ્રશ્નોના કાયમી ઝડપી નિકાલ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખ દ્વારા ખાણખનીજ, આરોગ્ય વિષયક બાબતો, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં ફાળવાતી ગ્રાન્ટ અને તેનો ઉપયોગ, ખેડૂત ખાતેદારોના આકસ્મિક મૃત્યુ સમયે ચૂકવાતી વીમા સહાય, ગરૂડેશ્વર એપીએમસીનો પ્રશ્ન, સોલાર રૂફટોપ, કુટિર યોજના, પીએમ કુસુમ, સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમની જોગવાઈ, અન્ન અને નાગરિક પુરવઠા તેમજ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં આઉટ સોર્સિંગ સ્ટાફની ભરતી જેવી બાબતો અંગે રજૂ કરેલા પ્રશ્નો મુદ્દે વિગતવાર અમલીકરણ અધિકારીઓ સાથે ચર્ચા કરી રચનાત્મક સૂચનો કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી લોક સુખાકારીમાં સુધારો-વધારો લાવવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સૌને આપીલ કરાઈ હતી.
જિલ્લા સંકલનની બેઠક દરમિયાન ચૂંટણી સંબંધિત મતદાન મથકોમાં દિવ્યાંગ મતદાતાઓ અને વયોવૃદ્ધ મતદાતાઓ માટે રેમ્પ બનાવવા અંગે પણ સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ બીજી બેઠકમાં કાયદો અને વ્યવસ્થા અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.
સંકલન સહ ફરિયાદ નિવારણની બેઠક બાદ જિલ્લામાં આગામી સમયમાં લાગૂ થનારા સ્વચ્છતા અભિયાન અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે. જાદવે વિસ્તૃતમાં જાણકારી આપી હતી. સાથે આ અભિયાન લાગુ થતાં જ સરકારી કચેરીઓ, જાહેર સ્થળો, જિલ્લામાંથી પસાર થતા વિવિધ માર્ગોની આસપાસ સફાઈ થાય અને યોગ્ય જાળવણી થવા સાથે સ્વચ્છતા જળવાઈ રહે તે અંગે જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉંધાડ, નાયબ વન સંરક્ષકશ્રી મિતેશ પટેલ(સામાજિક વનિકરણ), નાંદોદના પ્રાંત અધિકારીશ્રી ડો. કિશનદાન ગઢવી, દેડિયાપાડાના પ્રાંત અધિકારીશ્રી ડી.આર.સંગાડા સહિત સંબંધિ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રથયાત્રાની ૧૪૭મી કડી સફળતાથી સાકાર થાય તે માટેના કાર્ય આયોજનની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી.
રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં વિદ્યુતિકરણ કામગીરીના લીધે બે ટ્રેનોને રિશિડ્યુલ કરવામાં આવી છે. વિગતો નીચે મુજબ છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળ થી ઉપડનારી ચાર જોડી સ્પેશ્યલ ટ્રેનોના ફેરાને સમાન સંરચના,સમય, સ્ટોપેજ અને માર્ગ પર લંબાવવામાં આવ્યા છે . આ ટ્રેનોની વિગતો માટે વધુ વાંચો.