ગણેશોત્સવ પર્વને લઈને પ્રવેશદ્વાર વઘઈ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
ગણેશોત્સવ પર્વ નિમિત્તે તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વઘઈ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.
ગણેશોત્સવ પર્વ નિમિત્તે તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વઘઈ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર આવનાર ગણેશોત્સવ પર્વને લઈને વઘઈ પોલીસ મથકે ગામના આગેવાનો અને અલગ અલગ ગણેશ મંડળ આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
આ પ્રસંગે પી.આઇ. ડી. ડી.પરમાર અને પી.એસ.આઇ.પી.બી.ચૌધરી ની વિશેષ ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.જેમાં પોલીસે ગણેશોત્સવનો તહેવાર આવતો હોવાથી શાંતિપ્રિય માહોલમાં ઉજવણી કરવામાં આવે તેવી અપીલ કરી હતી.
ગણેશોત્સવ દરમિયાન ગણપતિ સ્થાપના માટે પરવાનગી કેવી રીતે લેવી ? ગણેશ સ્થાપના સમયે કઈ કઈ તકેદારી રાખવી વગેરે મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી.તેમજ ગણેશજીની પીઓપી ની મૂર્તિ નો સ્થાપક નહીં કરી માટેની મૂર્તિની સ્થાપના કરવા માટે સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં ગણેશ મંડળ આયોજકોને વઘઈ પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી હતી.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.