જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ અને નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ સમિતિની ઠરાવ મુજબ બેઠક યોજાઈ
નર્મદા જિલ્લા પંચાયત સંચાલિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સમયાંતરે જિલ્લા કલેકટરશ્રી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં ફાઇલ પર મળેલી મંજૂરી અન્વયે આજે સાંજે-૫-૩૦ કલાકે કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે આ સમિતિમાં સમાવિષ્ટ સભ્યોની હાજરીમાં સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક મળી હતી.
રાજપીપલા : નર્મદા જિલ્લા પંચાયત સંચાલિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સમયાંતરે જિલ્લા કલેકટરશ્રી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં ફાઇલ પર મળેલી મંજૂરી અન્વયે આજે સાંજે-૫-૩૦ કલાકે કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે આ સમિતિમાં સમાવિષ્ટ સભ્યોની હાજરીમાં સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં પાણી જન્ય રોગોની સમીક્ષા, જંતુવાહક રોગોની સમીક્ષા નગરપાલીકા વિસ્તારમાં કલોરીનેશન કામગીરીની સમીક્ષા પીવાના પાણીના સેમ્પલ બેકટ્રોલોજીકર ચકાચણી અંગેની ચર્ચા તથા ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા તથા પાણી પુરવઠા દ્વારા અપાતા પીવાના પાણી અને વાસ્મો દ્વારા ગ્રામ સમિતિઓ દ્વારા કલોરીલેશનની કામગીરી, ગ્રામ્ય-શહેરી વિસ્તારમાં પીવાના પાણીની પાઈપલાઇન લિકેજ-વાલ્વ લિકેજ જેવી બાબતોની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી સાથે સાથે સિકલસેલ ટ્રેૃસીંગ કામગીરી તથા પી.એન.ડી.ટી.ની પણ ચર્ચા કરાઇ હતી અને સબંધિત વિભાગોને આ અંગેની કામગીરીને પ્રાથમિકતા આપી પુરતુ ધ્યાન રાખવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જનકકુમાર માઢક તથા આરોગ્ય વિભાગના સબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક બાદ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ સમિતિના અધ્યક્ષશ્રી જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. અને લોક જાગૃતિ કેળવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી