નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા પંચાયત કચેરી ખાતે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ઓરિએન્ટેશન અંગે બેઠક યોજાઈ
બેઠકમાં પોષણ-આરોગ્ય અને શિક્ષણ વિષયો અંગે વિસ્તૃતમાં ચર્ચા કરાઇ
એસ્પિરેશનલ જિલ્લો નર્મદા આજે અન્ય જિલ્લાઓની જેમ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. ત્યારે પોષણ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રના સર્વાંગી વિકાસના ઉમદા આશય સાથે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ નાંદોદ તાલુકા પંચાયત કચેરી ખાતે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ઓરિએન્ટેશન કામગીરી અંગે
બેઠક યોજાઈ હતી.
બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી અંજલીબેન ચૌધરી , બાળ વિકાસ યોજના અધિકારી સુશ્રી મૌસમ પટેલ , ઈ.ચા.તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ધનંજય વળવી , તાલુકા પ્રાથમિક
શિક્ષણાધિકારીશ્રી અશોક ભગતની ઉપસ્થિતિમાં નાંદોદ તાલુકાના પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરેલ ૯ ગામોના આંગણવાડી કાર્યકર, આશાવર્કર સ્વ સહાય જૂથોની બેનો, શાળાના મુખ્ય શિક્ષકશ્રી, તલાટી કમ મંત્રીશ્રી તેમજ સરપંચશ્રીની ઓરિએન્ટેશન બેઠકનુ આયોજન કર્યું હતું.
સૌ સહભાગી થઈને પોષણ, આરોગ્ય અને શિક્ષણ વિષય કર્મયોગી અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આ બાબતે લગતી દરેક વિભાગ દ્વારા ભવિષ્યમાં શું કામગીરી કરવાની થશે અને કરવાની રહેશે એ બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. એની સાથે સાથે જિલ્લામાં ચાલુ થનાર આરોગ્ય તપાસમાં ફિલ્ડના તમામ કર્મચારી તેમજ પદાધિકારીશ્રીઓ આ બાબતના વિષયમાં રસ લઈને એને સફળ બનાવે અને કામગીરીને વધુ અસરકારક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવવા માટે સૌને અપીલ કરી હતી.
નવું આધાર ગવર્નન્સ પોર્ટલ જીવનને સરળ બનાવશે, સેવાઓને વધુ લોકો માટે મૈત્રીપૂર્ણ બનાવશે અને નાગરિકો-કેન્દ્રિત સેવાઓની પહોંચમાં સુધારો કરશે.
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.