જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ધોકડવા ગામે રાત્રીસભા યોજાઈ
કલેક્ટર રાત્રીસભામાં ગ્રામજનોના ગૌચર દબાણ, રોડ-રસ્તા, પાણી, જર્જરિત ટાકો, પંચાયત ઘર, બસ સ્ટેન્ડ, આંગણવાડી,પીજીવીસીએલ સહિતના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતાં અને ઉકેલ લાવવા જણાવ્યું હતું.
ગીર સોમનાથ :ગીર સોમનાથ જિલ્લા વહિવટી તંત્ર ગ્રામજનોના દ્વાર સુધી પહોંચી તેમના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવે તે દિશામાં કાર્ય કરી રહ્યું છે. જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામની આહીર સમાજની વાડી ખાતે રાત્રીસભા યોજાઇ હતી. કલેક્ટરશ્રીએ રાત્રીસભામાં ગ્રામજનોના ગૌચર દબાણ, રોડ-રસ્તા, પાણી, જર્જરિત ટાકો, પંચાયત ઘર, બસ સ્ટેન્ડ, આંગણવાડી,પીજીવીસીએલ સહિતના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતાં અને ઉકેલ લાવવા જણાવ્યું હતું.
કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, નાગરીકોને પડતી મુશ્કેલીઓ અને ગૌચર, ગંદકી સહિતના પ્રશ્નોની રજૂઆતો પર પૂરતું ધ્યાન આપી તેનું હકારાત્મક નિરાકરણ આવે તે દિશામાં જિલ્લા વહીવટી તંત્ર કાર્ય કરી રહ્યું છે. ગામ લોકોની મળેલી રજૂઆતો બાબતે કલેકટરશ્રીએ ગામનો વિકાસ થાય તે દિશામાં પારદર્શક રીતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્ય કરવામાં આવશે તેમજ ગ્રામજનો પણ સંકલન રાખીને ગામનો વિકાસ થાય તે દિશામાં કાર્ય માટે તંત્રને સહયોગ આપે તેમ વધુમાં ઉમેર્યું હતું
રાત્રી સભા પૂર્ણ થયા બાદ સ્થળ પર જ જિલ્લા કલેક્ટર દ્વારા ગ્રામજનોની રજૂઆતોનો ઉકેલ ત્વરિત રીતે આવે તે માટે અધિકારીશ્રીઓ સાથે બેઠક કરીને સંબંધિત વિભાગને કાર્યવાહી કરવા અંગે સૂચના આપવામાં આવી હતી.
આ રાત્રી સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન મુછાર, ઉના ધારાસભ્ય શ્રી કે.સી.રાઠોડ, ગીર ગઢડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભગવતીબેન સાંખટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપરકર, અધિક નિવાસી કલેકટર શ્રી રાજેશભાઈ આલ, ઉના પ્રાંત અધિકારી શ્રી ચિરાગ હિરવાણીયા, ગીર ગઢડા મામલતદાર શ્રી ગૌતમભાઈ વાળા સહિતના સંબંધની વિભાગના અધિકારીશ્રીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
જેમ જેમ નવરાત્રિનો વાઇબ્રન્ટ તહેવાર નજીક આવી રહ્યો છે તેમ, અમદાવાદમાં ખૂબ જ અપેક્ષિત ગરબાની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે
પરંપરાગત જામખંભાળિયા ઘીના બદલે અમૂલ ઘીનો ઉપયોગ થતો હોવાના આક્ષેપોને પગલે ડાકોર મંદિરમાં પ્રસાદની ગુણવત્તા અંગેનો વિવાદે ધ્યાન ખેંચ્યું છે.
અમદાવાદમાં, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ વધુને વધુ સ્કૂટર અને 125 સીસી સ્પોર્ટ બાઈકની સવારી કરીને શાળાએ જતા હોવાના કારણે એક સંબંધિત વલણ ઉભરી આવ્યું છે,