ભુજ તાલુકામાં ગણપતિ ઉત્સવ દરમિયાન ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની
સૂરજપર ગામના સુવર્ણકારો સાથે સંકળાયેલા યુવા કાર્યકરો દ્વારા પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી.
મહેશ સોની નખત્રાણા દ્વારા: ભુજ તાલુકાના સૂરજપર ગામના સુવર્ણકામ સાથે સંકળાયેલ યુવા કાર્યકર પરેશ ભાઈ સોની, દીપક ભાઈ હલાઈ, મિલન ભાઈ સોની એ ચંદ્રયાન -૩ની સફળતાથી પ્રેરાઈને ગણપતિ મહોત્સવ દરમ્યાન ચંદ્રયાન-૩ની બનાવેલ પ્રતિકૃતિ અહીં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પ્રતિકૃતિ નિહાળવા તેમજ ગણપતિ મહારાજના દર્શનાર્થે આજુબાજુના કેરા, બળદિયા, નારાણપર સહિતના ગામોના વિશાળ સંખ્યામા ભાવિક લોકો ઉમટી પડે છે.
ત્રણ દિવસ ચાલનારા આ મહોત્સવમાં મહાઆરતી, રાસ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. છેલ્લા 26 વર્ષે થી નવરાત્રી મંડળ ની આગેવાની હેઠળ ઉત્સવ નું સફળતા પૂર્વક આયોજન થઈ રહ્યું છે જેમાં વ્યવસ્થાપક ટ્રસ્ટીઓ દેવસીભાઈ રામજી મુરજી, નારણ ભાણજી, મનજી મેઘજી તથા વાલજી પરબત સહિતના ટ્રસ્ટીઓ તેમજ ગામના યુવાન ભાઈઓ બહેનો કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.