એકતા નગર ખાતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા દ્વારા સોશિયલ મીડિયા વર્કશોપનું આયોજન કરાયું
એકતા નગર ખાતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા દ્વારા સોશિયલ મીડિયા વર્કશોપનું આયોજન થયું. આ વર્કશોપમાં ગુજરાત પ્રદેશ ભા.જ.પ.આદિજાતિ મોરચાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ ને માર્ગદર્શન આપવામાં આવ્યું.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : એકતા નગર ખાતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા દ્વારા સોશિયલ મીડિયા વર્કશોપનું આયોજન થયું. આ વર્કશોપમાં ગુજરાત પ્રદેશ ભા.જ.પ.આદિજાતિ મોરચાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ ને માર્ગદર્શન આપવામાં આવ્યું. પોતાના વિસ્તારમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના ગામના લોકો સુધી પહોચે તે બાબતે માર્ગદર્શિત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી, શિક્ષણમંત્રી કુબેર ડીંડોરજી , પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ અર્જુનભાઈ ચૌધરીજી, વિધાનસભા દંડક વિજયભાઈ પટેલ, રમતગમત સેલ પ્રદેશ સંયોજક ભૂપતસિંહ વસાવા, પૂર્વ આદિજાતિ મંત્રી નરેશ પટેલ, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, ધારાસભ્ય નિમિષાબેન સુથાર સહિત રાજ્યભર માંથી એક હજારથી વધારે કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા.
સરકારના લાભો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોચાડવા માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્ત્વ હેઠળ પ્રદેશ આદિજાતિ મોરચાનું આયોજન કરવામાં આવ્યું. નર્મદા પ્રભારી હર્ષદભાઈ ચૌધરીનું માર્ગદર્શન મળ્યું.
ગુજરાત સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં, 2024-25ની સીઝન દરમિયાન વિવિધ ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) કાર્યક્રમનો અમલ કરીને ખેડૂતોના કલ્યાણને પ્રાથમિકતા આપી રહી છે.
રાજકોટમાં 8 માસના બાળકને ડેન્ગ્યુની સારવાર માટે વિવાદાસ્પદ ડો. મશરૂ સંચાલિત બેબીકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે બાળકને સ્વસ્થ થયા પછી રજા આપવામાં આવી હતી
રાજકોટના લોધીકાના મોટાવાડા વિસ્તારમાં 11મા ધોરણમાં ભણતા ધ્રુવીલ ભરતભાઈ વરૂણ નામના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા એક કરુણ ઘટના સામે આવી છે.