રાહત અને બચાવની કામગીરીના સંકલન માટે કલેક્ટર તંત્રમાં ખાસ સેલ ઉભો કરાયો
વડોદરા શહેરમાં આવેલી પડેલી વિભિષિકામાં રાહત અને બચાવ કામગીરીનું સંકલન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓના ધાડા વડોદરા ઉતારવામાં આવ્યા છે.
વડોદરા શહેરમાં આવેલી પડેલી વિભિષિકામાં રાહત અને બચાવ કામગીરીનું સંકલન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓના ધાડા વડોદરા ઉતારવામાં આવ્યા છે. પ્રભારી સચિવ વિનોદ રાવે વડોદરા શહેરમાં મુકામ કરી તેમના મ્યુનિસિપલ કમિશનર તરીકાના અનુભવોથી માર્ગદર્શન આપી રહ્યા છે. બીજી તરફ, મુખ્યમંત્રીશ્રીના ખાસ ફરજ પરના અધિકારી અતુલ ગોરને પણ વહીવટી તંત્રની મદદ માટે વડોદરા મોકલવામાં આવ્યા છે.
કલેક્ટર તંત્રમાં ફરિયાદોના નિરાકરણ માટે નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિની નિગરાનીમાં એક ખાસ સેલ ઉભો કરવામાં આવ્યો છે. કલેક્ટર બિજલ શાહે પણ વધારાના અધિકારીઓને આપત્તિ વ્યવસ્થાપનને લગતી ફજર સોંપણીના આદેશ જારી કર્યા છે.
ખાસ કરીને વરસાદનો જોર ઘટ્યા બાદ નુકસાનીનો તાગ મેળવવા માટે ૨૨ અધિકારીઓની કલેક્ટર દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે. દરમિયાન, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકને ડિઝાસ્ટર શાખામાં સંકલનની જવાબદારી સોંપવામાં આવી છે.
કોલેજ કક્ષાએ તા.૨૮ ફેબ્રુઆરીથી ૮ માર્ચ સુધી યોજાનારી સ્પર્ધાઓમાં યુવાશક્તિને મોટાપાયે સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહવાન.
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયપાલનતામાં સુધારો કરવા માટે અમદાવાદ મંડળથી ચાલનારી અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ અને અમદાવાદ-પટના એક્સપ્રેસના પ્રસ્થાન સમયમાં આગામી આદેશ સુધી બદલાવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
PM મોદીનું વિકાસ ભારત 2047 વિઝન ભારતના વિકાસ માટે પરિવર્તનશીલ માર્ગ નક્કી કરે છે, જેમાં ગુજરાત તેની અસાધારણ સિદ્ધિઓ દ્વારા મુખ્ય ભૂમિકા ભજવે છે.