બાગાયત વિભાગની 'અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ' હેઠળ માળી કામની ત્રિ-દિવસીય તાલીમ
યોજનાકીય લાભો માટે તા.૨૨ સપ્ટેમ્બર સુધીમાં I-Khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી આવશ્યક.
રાજપીપલા : નર્મદા જિલ્લામાં બાગાયત વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ બાગાયત વિભાગની “અર્બન ગ્રીન મિશન કાર્યક્રમને અનુલક્ષીને ત્રિ-દિવસીય માળીકામ માટેની કૌશલ્યવર્ધન
તાલીમ આપવામાં આવશે. જેમાં તાલીમ સહિત ગાર્ડન ટુક કીટ અને વૃત્તિકા તાલીમાર્થીને મળવાપાત્ર રહેશે.
આ યોજનાનો લાભ લેવા માંગતા ૧૮ થી ૪૫ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઇચ્છુક અરજદારોએ તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓનલાઇન અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ, જાતીના દાખલા, આધારકાર્ડ, રેશનકાર્ડ, બેન્ક બચત ખાતાની નકલ દિન-૭ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, રાજપીપલા-જિ.નર્મદા ખાતે જમા કરાવવાની રહેશે.
ઉપરાંત, યોજનાની વધુ માહિતી મેળવવા માટે www.ikhedut.gujarat.gov.in વેબ સાઈટ તેમજ ૦૨૬૪૦-૨૨૧૮૮૯ ઉપર સંપર્ક સાધવા અંગે નાયબ બાગાયત નિયામકશ્રી, રાજપીપલા,
જિ.નર્મદા તરફથી મળેલ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.