ઓડિશામાં પાણીના સંરક્ષણ અને ટકાઉ પર્યાવરણ બનાવવા માટે એસીસીનો વ્યવહારિક અભિગમ
એસીસી ઓડિશાના બારગઢના કૃષિ જિલ્લામાં જળ સંસાધનો અને ટકાઉપણાને વધારવા માટે કટપલી ગ્રામ પંચાયતને સશક્ત બનાવે છે. એસીસી અને અદાણી ફાઉન્ડેશને સીએસઆર હેઠળની પહેલને રૂ. 16 લાખના અંદાજિત ખર્ચ સાથે સહાય પૂરી પાડી હતી.
અમદાવાદ : ડાયવર્સિફાઇડ અદાણી જૂથની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસીએ તેની સીએસઆર પહેલ હેઠળ ઓડિશા રાજ્યના બારગઢ જિલ્લામાં ભૂગર્ભજળના સ્તરને અપગ્રેડ કરવા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે જળ સંરક્ષણ અને અને સ્વચ્છ તથા પર્યાવરણને અનુકૂળ વાતાવરણની જવાબદારી ઉપાડી છે.
બારગઢના પડકારરૂપ વાતાવરણમાં, જ્યાં તાપમાનમાં ઊંચી વધઘટ થતી રહે છે, એસીસી એ જળ સંરક્ષણ તરફ સક્રિય અભિગમ અપનાવ્યો છે. કટપાલીના પ્રદેશમાં વાર્ષિક આશરે 1,050 મિમી વરસાદ પડે છે અને અહીંના રહેવાસીઓ માટે પાણીની અછત એક મોટી સમસ્યા છે. આનાથી કૃષિ પર અસર પડે છે, જે પ્રદેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે. પ્રદેશમાં પાણીની અછતના મુદ્દાને ઉકેલવા માટે, એસીસીએ કટપાલી તળાવને ઊંડા કરવા માટે સહભાગી અભિગમમાં કટપાલી ગ્રામ પંચાયતને ટેકો આપ્યો હતો. તળાવમાંથી માટીના ખોદકામ સાથેનો આ પ્રોજેક્ટ એસીસી અને અદાણી ફાઉન્ડેશન દ્વારા રૂ. 16 લાખના અંદાજિત ખર્ચ સાથે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો.
કટપાલી તળાવને ઊંડા કરવાથી તેની જળ સંગ્રહ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. ગામ વહીવટીતંત્ર સાથે સમુદાયના સભ્યોના સહયોગથી હાથ ધરવામાં આવેલી આ પહેલથી સ્થાનિક સમુદાયના લગભગ 2,500 સભ્યોને નોંધપાત્ર રીતે લાભ થશે. તદુપરાંત, તે 50થી 60 એકર જમીન વિસ્તાર પર વર્ષભરની ખેતી માટેનો માર્ગ પણ મોકળો કરે છે.
એસીસી અને અદાણી ફાઉન્ડેશન બારગઢ જિલ્લામાં ટેકો પૂરો પાડવાનું ચાલુ રાખે છે અને અન્ય ઉદ્યોગો અને સંસ્થાઓને પર્યાવરણીય ટકાઉપણાને પ્રાથમિકતા આપવા અને મોખરે રાખવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમની સહયોગી પહેલ વિવિધ હિસ્સેદારો સાથે ભાગીદારીમાં માત્ર પ્રદેશ દ્વારા સામનો કરવામાં આવતા તાત્કાલિક પડકારોને જ નહીં, પણ બારગઢ અને તેના લોકો માટે વધુ ટકાઉ ભવિષ્ય તરફ પણ કામ કરે છે.
IIT JAM 2025 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ઉમેદવારો સમાચારમાં નીચે આપેલ સીધી લિંક દ્વારા તેમના પરિણામો ચકાસી શકે છે.
બજેટ સત્ર દરમિયાન ઓડિશાના ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિતના નિવેદન પર વિવાદ થયો હતો. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને છત્રપતિ શિવાજી મહારાજનો પુનર્જન્મ ગણાવ્યા, જેના પછી ગૃહમાં ભારે હોબાળો થયો. આ નિવેદન પર કોંગ્રેસે તેમને ઘેર્યા અને દેશની માફી માંગવા કહ્યું.
રાજ્યસભામાં રેલવે વિશે ઘણી માહિતી આપતી વખતે, અશ્વિની વૈષ્ણવે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. રેલ્વે મંત્રીએ કહ્યું કે વિપક્ષી નેતાઓએ રેલ્વે અંગે ભ્રામક નિવેદનો ન આપવા જોઈએ.