AMA દ્રારા “વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા માટે ગીતામાંથી પ્રેરણાદાયક જીવન પાઠ” વિષય પર વાર્તાલાપ યોજાયો
એએમએ દ્રારા “વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા માટે ભગવદ્ ગીતામાંથી પ્રેરણાદાયક જીવન પાઠ” વિષય પર પ્રખ્યાત લેખક અને વક્તા તથા ભગવદ ગીતાના મનોવિજ્ઞાન પર તેમના કાર્યો માટે માનદ ડોક્ટરેટ પ્રાપ્તકર્તા શ્રી દીપ ત્રિવેદી દ્રારા ગુરુવાર, ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ એક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારે તાજેતરમાં શાળાઓમાં ભગવદ ગીતાને જીવનના પાઠ શીખવા અને તેને આપણા રોજિંદા જીવનમાં અમલમાં મૂકવા માટે અભ્યાસક્રમના ભાગરૂપે રજૂ કર્યું છે. આ સંદર્ભે એએમએ દ્રારા “વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા માટે ભગવદ્ ગીતામાંથી પ્રેરણાદાયક જીવન પાઠ” વિષય પર પ્રખ્યાત લેખક અને વક્તા તથા ભગવદ ગીતાના મનોવિજ્ઞાન પર તેમના કાર્યો માટે માનદ ડોક્ટરેટ પ્રાપ્તકર્તા શ્રી દીપ ત્રિવેદી દ્રારા ગુરુવાર, ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ એક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી દીપ ત્રિવેદીએ આ સંદર્ભમાં લોકોને જણાવ્યું હતું કે ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ આપણને સાર્વત્રિક નિયમો વિશે જણાવે છે કે જે દરેક વ્યક્તિ અને જીવોને લાગુ પડે છે. તે ઉપરાંત દરેક વ્યક્તિના જીવનનો ઉદેશ્ય, સુખ અને શાંતિ સાથે સંતુલિત પ્રગતિ કેવી રીતે સાધી શકાય તથા સાયકોલોજી, આત્મજ્ઞાન અને મન એમાં કેવી રીતે અગત્યની ભૂમિકા ભજવે છે તે વિષે ઊંડાણ માં સમજાવ્યું હતું.
કૃપા કરીને કાર્યક્રમની ઝલક માટે જોડાયેલ ફોટોગ્રાફ જુઓ. વધુ વિગતો માટે કૃપા કરીને અમને ૦૭૯-૨૬૩૦૮૬૦૧ પર કૉલ કરો અથવા અમારી વેબસાઇટની મુલાકાત લો: www.amaindia.org
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.