એએમએ દ્રારા "લીડરશિપ ઑફ રતન ટાટા" વિષય પર એક વિશેષ વાર્તાલાપ યોજાયો
સ્વ. શ્રી રતન ટાટાને વિશેષ શ્રધ્ધાંજલિ આપવા માટે એએમએ દ્રારા ગ્લોબલ મેનેજમેન્ટ થિંકર ડૉ. શૈલેષ ઠાકર દ્રારા "લીડરશિપ ઑફ રતન ટાટા" વિષય પર એક વિશેષ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વ. શ્રી રતન ટાટાને વિશેષ શ્રધ્ધાંજલિ આપવા માટે એએમએ દ્રારા ગ્લોબલ મેનેજમેન્ટ થિંકર ડૉ. શૈલેષ ઠાકર દ્રારા "લીડરશિપ ઑફ રતન ટાટા" વિષય પર એક વિશેષ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. શૈલેષ ઠાકરે સ્વ. શ્રી રતન ટાટાના નેતૃત્વ પર સંબોધન કર્યું હતું કે જે દૂરંદેશી નેતૃત્વ, નૈતિક વ્યવસાય પ્રથાઓ અને સામાજિક પ્રભાવ પર અવિરત ધ્યાન કેન્દ્રિત કરવા અને માર્ગદર્શક સિધ્ધાંતો માટે જાણીતું છે.
એએમએના પ્રમુખ ડૉ. સાવન ગોડિયાવાલા પણ નેતૃત્વ પર સંબોધન કર્યું હતું અને શ્રી આર ગોપાલક્રિષ્નન (ભૂતપૂર્વ વાઇસ ચેરમેન-એચયુએલ અને ઈડી-ટાટા સન્સ)એ ટાટા જૂથ સાથે કામ કરવાના તેમના અનુભવો જણાવ્યા હતાં અને સહભાગીઓને ટાટાના વારસાને વ્યાખ્યાયિત કરતા નેતૃત્વના સિધ્ધાંતોની દુર્લભ ઝલક આપી.
કૃપા કરીને કાર્યક્રમની ઝલક માટે જોડાયેલ ફોટોગ્રાફ જુઓ. વધુ વિગતો માટે કૃપા કરીને એએમએને ૦૭૯-૨૬૩૦૮૬૦૧ પર કૉલ કરો અથવા એએમએની વેબસાઇટની મુલાકાત લો: www.amaindia.org
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી