છોટાઉદેપુર લોકસભા વિસ્તારના રામભક્તોને લઈને અયોધ્યા જવા વડોદરાથી આસ્થા સ્પેશિયલ ટ્રેન રવાના
રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમાર અને છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું.
વડોદરા : સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રીશ્રી ભીખુસિંહ પરમારે છોટાઉદેપુર લોકસભા વિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવાની ઉપસ્થિતિમાં વડોદરાના રેલવે સ્ટેશન ખાતેથી અયોધ્યા જતી શ્રદ્ધાળુઓ સાથેની આસ્થા સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે શ્રી ભીખુસિંહ પરમારે સૌ રામભક્તોને દર્શનનો લ્હાવો મળવા બદલ અભિનંદન પાઠવીને ‘જય શ્રી રામ’ના નારાનો જયઘોષ બોલાવ્યો હતો. ટ્રેનને પ્રસ્થાન કરાવતા પહેલા રાજ્યમંત્રીશ્રી ભીખુસિંહ પરમાર અને છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરીને શુભયાત્રાની શુભેચ્છાઓ આપી હતી.
અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં રામ લલ્લાના દર્શનને લઈને અનોખો ઉત્સાહ અને આંનદ છલકાઈ રહ્યો હતો. વડોદરા રેલવે સ્ટેશન પરનો સમગ્ર માહોલ ટ્રેન પ્રસ્થાન અવસરે રામમય બન્યો હતો.
આ પ્રસંગે અગ્રણીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, ડી. આર. એમ. શ્રી સહિત રેલવે સ્ટાફ તેમજ અયોધ્યા જતા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.