નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા જાહેર કરાયેલ રીપોર્ટ અનુસાર, જીટીયુ –જીએસપી સમગ્ર દેશમાં 71માં સ્થાને
અદ્યતન હાઈટેક લેબોરેટરીઝ , રીસર્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ જેવી વિવિધ પ્રવૃત્તિઓને કારણોસર NIRF રેન્કિંગમાં જીટીયુ-જીએસપી સ્થાન પામ્યું છે. જે બદલ સમગ્ર જીટીયુ પરિવાર આનંદની લાગણી અનુભવે છે.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસીએ (જીએસપી) તેની સ્થાપનાકાળના ખૂબ જ ટૂંકા સમયમાં સમગ્ર દેશમાં ટોપ-100 શ્રેષ્ઠ ફાર્મસી કૉલેજ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેન્દ્રિય શિક્ષણ રાજ્યમંત્રીશ્રી રાજકુમાર રંજનસિંહ દ્વારા જાહેર કરાયેલ નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્કમાં (NIRF) જીટીયુ-જીએસપી સમગ્ર દેશમાં 71માં ક્રમે રહી છે.
આ સંદર્ભે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, અદ્યતન હાઈટેક લેબોરેટરીઝ , રીસર્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ જેવી વિવિધ પ્રવૃત્તિઓને કારણોસર NIRF રેન્કિંગમાં જીટીયુ-જીએસપી સ્થાન પામ્યું છે. જે બદલ સમગ્ર જીટીયુ પરિવાર આનંદની લાગણી અનુભવે છે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ જીએસપીના ડાયરેક્ટર પ્રો. ડૉ. સંજય ચૌહાણ અને તમામ સ્ટાફગણને આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
ગુજરાતમાંથી ફાર્મસી કૉલેજની કેટેગરીમાં કુલ 27 કૉલેજોએ અરજી કરેલ હતી. જીએસપી ગુજરાતમાં 6ઠ્ઠા ક્રમે જ્યારે દેશભરમાં 71માં ક્રમે રહીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ સંદર્ભે જીટીયુ-જીએસપીના ડાયરેક્ટર પ્રો. ડૉ. સંજય ચૌહાણે જણાવ્યું હતું કે, NIRF દ્વારા છેલ્લા 3 વર્ષના મુખ્ય 5 ક્રાઈટેરીયા આધારીત ડેટા પર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં ટીચીંગ લર્નિંગ રીસોર્સિસ , રીસર્ચ અને પ્રોફેશનલ પ્રેક્ટિસ , ગ્રેજ્યુએશન આઉટકમ , આઉટરીચ અને ઈન્ક્લુઝીવીટી અને પીયર પર્ફોર્મન્સ વગેરે જેવા ક્રાઈટેરીયામાં શ્રેષ્ઠ દેખાવના પરિણામે જ જીએસપી આ રેન્કિંગ મેળવવામાં સફળ રહ્યું છે. રાજ્યમાંથી જીટીયુ સહિત અન્ય 7 કૉલેજો પણ ટોપ-100માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની વાત છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.