અમદાવાદ મંડળથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળ માંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે:
1. ટ્રેન નંબર 20954/20953 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં 06 જુલાઈથી 27 જુલાઈ 2024 સુધી અમદાવાદથી અને 05 જુલાઈથી 26 જુલાઈ 2024 સુધી એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી એક સામાન્ય શ્રેણી નો વધારાનો કોચ ઉમેરવામાં આવશે.
2. ટ્રેન નંબર 22915/22916 બાંદ્રા ટર્મિનસ-હિસાર-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં તાત્કાલિક અસરથી 29 જુલાઈ 2024 સુધી બાંદ્રા ટર્મિનસથી અને 02 જુલાઈથી 30 જુલાઈ 2024 સુધી હિસાર થી એક સામાન્ય શ્રેણીનો વધારાનો કોચ ઉમેરવામાં આવશે.
3. ટ્રેન નંબર 22958/22957 વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ ટ્રેનમાં તાત્કાલિક અસરથી 31 જુલાઈ 2024 સુધી વેરાવળથી અને 07 જુલાઈ 2024થી 06 ઓગસ્ટ 2024 સુધી ગાંધીનગરથી એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
4. ટ્રેન નંબર 19223/19224 ગાંધીનગર કેપિટલ-જમ્મુતાવી-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેનમાં 2 જુલાઈથી 01 ઓગસ્ટ 2024 સુધી ગાંધીનગરથી અને 06 જુલાઈથી 05 ઓગસ્ટ 2024 સુધી જમ્મુતાવીથી એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
ટ્રેનોના સ્ટોપેજના સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
અમદાવાદ સ્થિત ક્યોર સાઇટ લેસર સેન્ટર (CSLC)રિફ્રેક્ટિવ લેસર સર્જરીનાં ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC વિશ્વનું એક માત્ર લેસર આય સેન્ટર છે, જે વિશ્વનાં પાંચ શ્રેષ્ઠ લેસર મશીન ધરાવે છે.
જાપાનની સેમિકન્ડક્ટર સેક્ટરની કંપનીઝ ગુજરાતમાં આવવા ઉત્સુક. ઓટોમોબાઇલ ઉપરાંત રિન્યુએબલ એનર્જી-ગ્રીન એમોનિયા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુજરાત સાથે રોકાણો વધારવા અંગે પરામર્શ.
ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદને પગલે જૂનાગઢમાં બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો જળબંબાકારના કારણે બંધ કરવામાં આવ્યા છે.