દાહોદના જેકોટ રેલ્વે સ્ટેશન પર દાહોદ થી આણંદ જતી મેમુ 09350 ટ્રેનના એન્જિનની પાછળના ડબ્બામાં આગ લાગતા અફરા તફરીનો માહોલ
દાહોદથી 10 કી. મી દૂર જેકોટ રેલ્વે સ્ટેશન પર મુસાફરો ઉતારી ટ્રેન ઉપડી રહી હતી. તે દરમિયાન અચાનક જ મેમુ ટ્રેનના ઇન્જીનને અડીને આવેલ પાછળના ડબ્બામાં ધુમાડો નીકળતા નાસભાગના દ્રશ્ય સર્જાયા હતા.
આજે તા.૧૫/૦૯/૨૦૨૩ ને શુક્રવારના રોજ રોજિંદા દિવસની જેમ દાહોદથી મુસાફરો ભરી 09350 નંબરની મેમુ ટ્રેન 11:38 કલ્લાકે ઉપડી આણંદ જઈ રહી હતી. તે દરમિયાન દાહોદથી 10 કી. મી દૂર જેકોટ રેલ્વે સ્ટેશન પર મુસાફરો ઉતારી ટ્રેન ઉપડી રહી હતી. તે દરમિયાન અચાનક જ મેમુ ટ્રેનના ઇન્જીનને અડીને આવેલ પાછળના ડબ્બામાં ધુમાડો નીકળતા નાસભાગના દ્રશ્ય સર્જાયા હતા.
જોત જોતામાં ઇન્જીનને અડીને આવેલ ડબ્બામાં આગના ગોટેગોટા નીકળ્યા હતા. જેની જાણ રેલ્વે વિભાગના ઉચ્ચ અધિકારીઓને તથા તેઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ને ઘટનાની જાણ દાહોદ ફાયર વિભાગને કરીને તેઓને બોલાવી ભારે જેહમત બાદ આગને કાબુ કરી હતી. ટ્રેનમાં આગ લાગવાની જાણ વાયુવેગે ફેલાતા દાહોદ ASP કે.સિદ્ધાર્થ પોલીસ કાફલાં સાથે જેકોટ ગામે પહોંચ્યાં હતા. મુસાફરો ભરેલી ટ્રેનંમાં આગ લાગતા કોઈ જાનહાનિ ના થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.