ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને મુંબઈની ઓસ્ટીક ફાર્મા કંપની વચ્ચે ટેક્નોલોજીકલ આપ-લે માટે થયા કરાર
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને આરોગ્યની કાળજીનાં ક્ષેત્રમાં કામ કરતી અને આઈ. આઈ. ટી., મુંબઈની સ્ટાર્ટ-અપ કંપની ઓસ્ટીક ફાર્મા વચ્ચે નિદાન માટે યોગ્ય સુવિધા મળી રહે તે માટે ટેકનોલોજીકલ જ્ઞાનની આપ-લે કરવા માટે દ્વીપક્ષી કરાર કરવામાં આવ્યા છે.
અમદાવાદ : ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને આરોગ્યની કાળજીનાં ક્ષેત્રમાં કામ કરતી અને આઈ. આઈ. ટી., મુંબઈની સ્ટાર્ટ-અપ કંપની ઓસ્ટીક ફાર્મા વચ્ચે નિદાન માટે યોગ્ય સુવિધા મળી રહે તે માટે ટેકનોલોજીકલ જ્ઞાનની આપ-લે કરવા માટે દ્વીપક્ષી કરાર કરવામાં આવ્યા છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એપ્લાઈડ સાઈન્સીસ એન્ડ ટેકનોલોજીનાં સાંસોધકો પ્રા. ડૉ. દોલત સિંહ ઝાલા અને એસોસિયેટ પ્રોફેસર અને પી.એચ,ડીના વિધ્યાર્થી કાર્તિક ચૌહાણ તેમજ તેમના સાથીદારો દ્વારા નિદાન માટે જે નવીનતમ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે અને ભારત સરકાર દ્વારા જેને પેટર્ન આપવામાં આવી છે તેનો શ્રેષ્ઠ રીતે સમાજ માટે ઉપયોગ થાય તે માટે આ આપ-લે નાં કરાર કરવામાં આવ્યા છે.
ઓસ્ટીક ફાર્મા પ્રા. લી. નાં ડાયરેક્ટર ડૉ. વિનય સૈની એ આ અંગે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ નવીન ટેકનોલોજી ભારત ઉપરાંત આફ્રિકા, લેટિન અમેરિકા, અને એશિયાના દેશોમાં ભરપૂર પરિવર્તન લાવવાની શક્યતા ધરાવે છે. અમારે ગુજરાત ટેકનોલૉજીકલ યુનિવર્સિટી સાથે આ અંગે દ્વીપક્ષી કરાર થયા છે તે આત્મનિર્ભર ભારત બનાવવા તરફની ગતીનું એક અગત્યનું કદમ છે.
સ્કૂલ ઓફ એપ્લાઈડ સાઈન્સીસ એન્ડ ટેકનોલોજીનાં ડાયરેક્ટર અને ટેકનોલોજી ટ્રાન્સફર સેલનાં ડાયરેક્ટર ડૉ. વૈભવ ભટ્ટે આ તબક્કે જણાવ્યું હતું કે ભારતને આર્થિક ક્ષેત્રે હરણફાળ ભરવા માટે લેબોરેટરીમાં જે સાંસોધન થાય તેને ઉધ્યોગ સુધી પહોંચાડવું ખૂબ જરૂરી છે અને તે કામ આ કરાર દ્વારી થયું છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીના કુલપતિ ડૉ. રાજુલ કે. ગજ્જરે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી પ્રતિભાશાલી સંશોધકોની સિધ્ધી અને હેલ્થ કેર ટેકનોલોજી ને આગળ વધારવામાં યોગદાન આપવા માટે ગૌરવ અને લાગણી અનુભવે છે. ઓસ્ટીક ફાર્મા સાથેનો આ સહયોગ ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટે અને આધુનિક સાંસોધન દ્વારા વાસ્તવિક વિશ્વને શક્તિ આપવા માટે અમારી પ્રતિબધ્ધતા વ્યક્ત કરે છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.