5 નવેમ્બરથી દર રવિવારે અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેન દોડશે
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 31 ઓક્ટોબર, 2023ના રોજ વર્ચ્યુઅલી એકતાનગરથી અમદાવાદ વચ્ચે ચાલનારી ગુજરાતની પ્રથમ સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેનનો લીલી ઝંડી બતાવી શુભારંભ કર્યો.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 31 ઓક્ટોબર, 2023ના રોજ વર્ચ્યુઅલી એકતાનગરથી અમદાવાદ વચ્ચે ચાલનારી ગુજરાતની પ્રથમ સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેનનો લીલી ઝંડી બતાવી શુભારંભ કર્યો. આ ટ્રેનનું રોકાણ વડોદરા સ્ટેશને પણ થશે. આ હેરિટેજ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે :
ટ્રેન નંબર 09409 અમદાવાદ-એકતા નગર સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન 5 નવેમ્બર, 2023થી દર રવિવારે સવારે 06.10 વાગ્યા અમદાવાદથી પ્રસ્થાન કરી 08.18 વાગ્યે વડોદરા પહોંચશે અને 08.23 વાગ્યે પ્રસ્થાન કરી એ જ દિવસે 09.50 લાગ્યે એકતા નગર પહોંચશે. એ જ રીતે 09410 એકતા નગર-અમદાવાદ સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન દર રવિવારે 20.35 વાગ્યે એકતા નગરથી પ્રસ્થાન કરી 22.00 વાગ્યે વડોદરા પહોંચશે અને 22.05 વાગ્યે પ્રસ્થાન કરી બીજા દિવસે 00.05 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેનમાં ચાર એસી વિસ્ટાડોમ પ્રકારના કોચ છે જેમાં ત્રણ એસી એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ અને એક રેસ્ટોરાં ડાઇનિંગ કાર સામેલ છે.
ટ્રેન નંબર 09409 તેમ જ 09410નું બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર ચાલુ છે. ઉપરોક્ત ટ્રેનનો એડવાન્સ રીઝર્વ પીરિયડ (અગ્રીમ આરક્ષણ સમય) 30 દિવસ હશે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.