અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કતરા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે
ઉત્તર રેલવેના જાલંધર યાર્ડમાં એન્જિનિયરિંગના કાર્ય હેતુ બ્લોક લેવાના કારણે અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કતરા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે.
ઉત્તર રેલવેના જાલંધર યાર્ડમાં એન્જિનિયરિંગના કાર્ય હેતુ બ્લોક લેવાના કારણે અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કતરા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ થી ચાલશે.જેની વિગતો નીચે મુજબ છે.
18, 25 ફેબ્રુઆરી અને 03,10,17 માર્ચ 2024ના અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19415 અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કતરા એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા જાલંધર-મુકેરિયાં-પઠાણકોટના રસ્તે ચાલશે. આ ટ્રેન બ્યાસ, અમૃતસર અને બટાલા સ્ટેશનો પર નહીં જાય.
20, 27 ફેબ્રુઆરી અને 05, 12, 19 માર્ચ 2024 ના શ્રી માતા વૈષ્ણો દેવી કતરાથી ચાલતી ટ્રેન નંબર 19416 શ્રી માતા વૈષ્ણોદેવી કટડા -અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા પઠાણકોટ-મુકેરિયાં-જાલંધરના રસ્તે ચાલશે. આ ટ્રેન બટાલા, અમૃતસર અને બ્યાસ સ્ટેશનો પર નહીં જાય
ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે
મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકેછે
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.