વાયુસેનાનું સુખોઈ-30 વિમાન નાશિકમાં ક્રેશ, બંને પાઈલટ સુરક્ષિત
ભારતીય વાયુસેનાનું સુખોઈ-30 MKI ફાઈટર એરક્રાફ્ટ આજે મહારાષ્ટ્રના નાસિકમાં ક્રેશ થયું છે.
ભારતીય વાયુસેનાનું સુખોઈ-30 MKI ફાઈટર એરક્રાફ્ટ આજે મહારાષ્ટ્રના નાસિકમાં ક્રેશ થયું છે. આ એરક્રાફ્ટ રિનોવેશન માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસે હતું. વિમાનના બંને પાયલોટ બહાર નીકળવામાં સફળ રહ્યા હતા અને તેઓ સુરક્ષિત છે. સંરક્ષણ અધિકારીઓએ આ માહિતી આપી છે, નાસિક રેન્જના વિશેષ મહાનિરીક્ષક ડીઆર કરાલેના જણાવ્યા અનુસાર, સુખોઈ Su-30MKI વિમાનના પાયલટ અને સહ-પાયલટ સુરક્ષિત રીતે બહાર આવી ગયા છે. વિમાન શિરસગાંવ ગામ પાસે એક ખેતરમાં પડ્યું હતું. એચએએલ અને ભારતીય વાયુસેના દ્વારા અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
Sukhoi-30 MKI એ રશિયન મૂળનું ટ્વીન-સીટર ટ્વીન એન્જિન મલ્ટીરોલ ફાઇટર જેટ છે. તે 8,000 કિગ્રાના બાહ્ય શસ્ત્ર સાથે એક x 30 mm GSh ગન લઈ જવા સક્ષમ છે. ભારતીય વાયુસેના પાસે 260થી વધુ સુખોઈ-30 MKI છે. તે કોઈપણ પ્રકારના હથિયારથી સજ્જ થઈ શકે છે. આ વિમાનોને વર્ષ 2002માં વાયુસેનાના કાફલામાં સામેલ કરવામાં આવ્યા હતા. સુખોઈ-30 હવાથી જમીન અને હવાથી હવામાં એકસાથે લક્ષ્યો પર હુમલો કરી શકે છે. આ એરક્રાફ્ટ સૌથી શક્તિશાળી ફાઈટર પ્લેનમાંથી એક છે. સુખોઈ-30 MKI 3,000 કિમી સુધી હુમલો કરવામાં સક્ષમ છે.
IIT JAM 2025 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ઉમેદવારો સમાચારમાં નીચે આપેલ સીધી લિંક દ્વારા તેમના પરિણામો ચકાસી શકે છે.
બજેટ સત્ર દરમિયાન ઓડિશાના ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિતના નિવેદન પર વિવાદ થયો હતો. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને છત્રપતિ શિવાજી મહારાજનો પુનર્જન્મ ગણાવ્યા, જેના પછી ગૃહમાં ભારે હોબાળો થયો. આ નિવેદન પર કોંગ્રેસે તેમને ઘેર્યા અને દેશની માફી માંગવા કહ્યું.
રાજ્યસભામાં રેલવે વિશે ઘણી માહિતી આપતી વખતે, અશ્વિની વૈષ્ણવે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. રેલ્વે મંત્રીએ કહ્યું કે વિપક્ષી નેતાઓએ રેલ્વે અંગે ભ્રામક નિવેદનો ન આપવા જોઈએ.