એર ઈન્ડિયા એક્સપ્રેસે ઘરેલુ રૂટ પર 6 નવી દૈનિક ફ્લાઈટ્સ શરૂ કરવાની જાહેરાત કરી
એર ઈન્ડિયા એક્સપ્રેસ 54 બોઈંગ 737 અને 28 એરબસ એ320 સહિત 82 વિમાનોના કાફલા સાથે 380 થી વધુ દૈનિક ફ્લાઈટ્સનું સંચાલન કરે છે.
ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇન એર ઇન્ડિયા એક્સપ્રેસે મંગળવારે તેના સ્થાનિક નેટવર્કને મજબૂત કરવા ચેન્નાઇ અને કોલકાતા સહિત છ નવી દૈનિક ફ્લાઇટ્સ શરૂ કરવાની જાહેરાત કરી હતી. મીડિયામાં સમાચાર મુજબ, ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં, જ્યારે ચેન્નાઈથી ત્રણ નવી ફ્લાઈટ્સ, કોલકાતાથી બે અને ગુવાહાટી-જયપુર રૂટ પર એક સેવા શરૂ કરવામાં આવી છે. નવી ફ્લાઈટ સેવા 12મી ઓગસ્ટથી શરૂ થઈ છે.
સમાચાર અનુસાર, એરલાઈને મંગળવારે કહ્યું કે નવી ફ્લાઈટ્સ ચેન્નાઈ-ભુવનેશ્વર, ચેન્નાઈ-બાગડોગરા, ચેન્નાઈ-તિરુવનંતપુરમ, કોલકાતા-વારાણસી, કોલકાતા-ગુવાહાટી અને ગુવાહાટી-જયપુર સેક્ટર પર ચાલે છે. ટાટા ગ્રૂપનો ભાગ, એર ઈન્ડિયા એક્સપ્રેસ 54 બોઈંગ 737 અને 28 એરબસ એ320 સહિત 82 એરક્રાફ્ટના કાફલા સાથે 380 થી વધુ દૈનિક ફ્લાઈટ્સનું સંચાલન કરે છે.
Byju’s ને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે નાદારીની કાર્યવાહી બંધ કરવાના NCLTના નિર્ણય પર રોક લગાવી છે.
ભારતીય શેરબજારો બુધવારે ફ્લેટ ખુલ્યા હતા, શરૂઆતના ટ્રેડિંગમાં મર્યાદિત હિલચાલ જોવા મળી હતી. સવારે 9:19 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 45 પોઈન્ટ વધીને 79,001 પર હતો, જ્યારે નિફ્ટી 8 પોઈન્ટ વધીને 24,147 પર પહોંચ્યો હતો.
શેરબજારઃ આજે બજારમાં સૌથી મોટો ઘટાડો PSU બેંકોના શેરમાં નોંધાયો હતો. ખાનગી બેંકોના શેર પણ ઘટાડા સાથે બંધ થયા છે.