વડનગર, સિદ્ધપુર, SOUમાં એરપોર્ટ બનશે: કેવડિયાથી 12 કિમી દૂર એરપોર્ટ બનાવવાની યોજના
રાજ્ય સરકાર ઉડ્ડયન ક્ષેત્રના વિકાસ અને ઉડ્ડયન આંતર-ઉદ્યોગ વિકાસ દ્વારા પ્રવાસન, પ્રાદેશિક જોડાણ, વેપાર અને વાણિજ્ય અને રોજગાર નિર્માણને પ્રોત્સાહન આપવા માટે નક્કર પગલાં લઈ રહી છે.
અમદાવાદ. રાજ્ય સરકાર ઉડ્ડયન ક્ષેત્રના વિકાસ અને ઉડ્ડયન આંતર-ઉદ્યોગ વિકાસ દ્વારા પ્રવાસન, પ્રાદેશિક જોડાણ, વેપાર અને વાણિજ્ય અને રોજગાર નિર્માણને પ્રોત્સાહન આપવા માટે નક્કર પગલાં લઈ રહી છે. બુધવારે વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં ત્રણ નવા એરપોર્ટ બનાવવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સિદ્ધપુર અને વડનગરનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે SOU જોવા માટે દેશભરમાંથી લોકો આવી રહ્યા છે. તેથી મુસાફરોને સીધી સુવિધા મળી રહે તે માટે એરપોર્ટ બનાવવાની વિચારણા ચાલી રહી છે. સાથે જ વડનગરની પ્રાચીન સંસ્કૃતિને નિહાળવા આવતા પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે. આ સાથે ધાર્મિક વિધિઓ માટે પ્રખ્યાત સિદ્ધપુરમાં એરપોર્ટ બનાવવામાં આવશે. હાલમાં સરકારે કેવડિયાથી 12 કિલોમીટરના અંતરે SOU માટે એરપોર્ટ બનાવવાનું શરૂ કર્યું છે.
અમદાવાદ સ્થિત ક્યોર સાઇટ લેસર સેન્ટર (CSLC)રિફ્રેક્ટિવ લેસર સર્જરીનાં ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC વિશ્વનું એક માત્ર લેસર આય સેન્ટર છે, જે વિશ્વનાં પાંચ શ્રેષ્ઠ લેસર મશીન ધરાવે છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે.
જાપાનની સેમિકન્ડક્ટર સેક્ટરની કંપનીઝ ગુજરાતમાં આવવા ઉત્સુક. ઓટોમોબાઇલ ઉપરાંત રિન્યુએબલ એનર્જી-ગ્રીન એમોનિયા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુજરાત સાથે રોકાણો વધારવા અંગે પરામર્શ.