નર્મદા જિલ્લાના ૬૦ ગામોમાં પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને મળ્યા આયુષ્યમાન કાર્ડ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નર્મદા જિલ્લાના ગામેગામ પરિભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે જરૂરતમંદ નાગરિકોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો પણ મળી રહ્યા છે.સંકલ્પ યાત્રા દરમિયાન આરોગ્ય તંત્ર દ્વારા કુલ ૬૮૪૦ નવા આયુષ્યમાન કાર્ડ બનાવી સ્થળ ઉપર જ વિતરણ કરાયા.
રાજપીપલા : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નર્મદા જિલ્લાના ગામેગામ પરિભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે જરૂરતમંદ નાગરિકોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો પણ મળી રહ્યા છે. નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં ૬૬ ગામોમાં
વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી તેમાં ૬૦ ગામોના પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવરી લઇ આયુષ્યમાન કાર્ડ કાઢી આપ્યા છે. આ ૬૦ ગામોમાં આયુષ્યમાન કાર્ડ યોજનાને સેચ્યુરેશન પોઈન્ટ ઉપર લઇ જઇને વડાપ્રધાનશ્રીની સંકલ્પના સાકાર કરવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્ર પાસેથી ઉપલબ્ધ થયેલી વિગતો મુજબ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમ્યાન કુલ ૬૮૪૦ નવા આયુષ્યમાન કાર્ડ બનાવી સ્થળ ઉપર જ વિતરણ કરવામાં આવ્યા છે તેની સાથે યોજાતા આરોગ્ય કેમ્પનો ૧૪૧૭૧ લાભાર્થીઓએ લાભ લીધો છે. સાથેસાથે ૯૭૯૮ દર્દીઓની ટીબી તપાસ તથા ૪૭૧૬ દર્દીઓની સિકલસેલ એનેમિયાની તપાસ કરવામાં આવી છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી સંકલ્પ જાહેર કર્યો હતો કે સરકારની તમામ કલ્યાણકારી યોજનાનો લાભ પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને મળે એવા પ્રયાસો કરવામાં આવશે અને તે પ્રયાસોમાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સેવાઆહૂતિ આપવામાં આવી રહી છે.
નર્મદા જિલ્લાના વિવિધ ગામોમાં ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ૬૨ ગામોમાં જલ જીવન મિશન, ૬૬ ગામોમાં જનધન યોજના, ૬૬ ગામોમાં પીએમ કિસાન સમૃદ્ધિ યોજના, ૬૬ ગામોમાં જમીન રેકર્ડ ડિઝીટાઇઝેશનની સો ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. એટલે કે, આટલી યોજનાઓને આ ગામોમાં સેચ્યુરેશન પોઇન્ટ ઉપર લઇ જવામાં આવી છે.
સાથે સાથે, વિશિષ્ઠ પ્રતિભા ધરાવતા સ્થાનિક ગ્રામજનોનું સન્માન પણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ૭૦ છાત્રો, ૧૮૪ મહિલા પ્રતિભાઓ, ૩૬ રમતવીરો અને ૩૧ કલાકારોનું ગ્રામજનોની ઉપસ્થિતિમાં બહુમાન કરવામાં આવ્યું છે. આમ, નર્મદા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્ર જિલ્લા વહીવટી તંત્ર માટે જનસેવાની તક લઇ આવી છે અને તેના માધ્યમથી જનકલ્યાણની યોજનાઓનો લાભ લાભાર્થીઓને ગામે જઇ આપવામાં આવી રહ્યો છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.