અલને કારગિલ યુદ્ધના શહીદોને શૌર્ય વંદન કાર્યક્રમમાં સમ્માનિત કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી
એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટે તેના શૌર્ય વંદન કાર્યક્રમ મારફતે 1999ના કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી.
અમદાવાદ: એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટે તેના શૌર્ય વંદન કાર્યક્રમ મારફતે 1999ના કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ કાર્યક્રમ સિંધુ ભવન રોડ પાસે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રેક્ષાગૃહમાં યોજાયો હતો. આ કાર્યક્રમની શોભા વધારવા એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ પ્રાઈવેટ લિમિટેડના નિદેશક શ્રી નવિન મહેશ્વરી સાથે શ્રી પંકજ કાબરા - વાઇસ પ્રેસિડેન્ટ એસીઆઇપીએલ, શ્રી સોનલ રાજોરા - વાઇસ પ્રેસિડેન્ટ એસીઆઇપીએલ, શ્રી પંકજ બાલદી - એલન અમદાવાદના સેન્ટર હેડ, અંકિત અગ્રવાલ - એન્જિનિયરિંગ ડિવિઝનના હેડ, અમૃતાશ મુખર્જી - સેન્ટર હેડ - એલન રાજકોટ અને મુખ્ય અતિથિ કેપ્ટન યોગેન્દ્ર સિંહ યાદવ - પરમવીર ચક્રથી સન્માનિત અને નિવૃત્ત ભારતીય સૈનિક અધિકારી ની ઉપસ્થિતિ દ્વારા વધારી હતી.
કેપ્ટન યોગેન્દ્ર સિંહ યાદવે યુદ્ધભૂમિ પર પોતાના અનુભવ વિશે એક દિલને સ્પર્શી જતું ભાષણ આપ્યું, જેના કારણે ઘણી આંખોમાં આંસુ આવી ગયા અને સૌમ્યતા છવાઈ ગઈ. ત્યારબાદ શ્રી. નવિન મહેશ્વરી અને કેપ્ટન યોગેન્દ્ર સિંહ યાદવના હસ્તે કારગિલ યુદ્ધમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર સૈનિકોના પરિવારનો વિશેષ સન્માન અને શ્રદ્ધાંજલિ આપવામા આવી. નવિન મહેશ્વરીએ કહ્યું કે "ભારત અને એલન તે સૈનિકોના ખૂબ આભારી છે જેઓ અમારા માતૃભૂમિ ભારતની સૌથી વિકટ પરિસ્થિતિઓમાં સેવા કરે છે અને એલન હંમેશા તેમની સેવા માટે તત્પર છે. સૈનિકો દ્વારા સામનો કરેલ કઠિનાઈ અને તેઓ દ્વારા પાર કરેલ પડકારોથી આ યુવાઓને સફળ ડોક્ટર, એન્જિનિયર અને ઉદ્યોગસાહસિક બન્યા પછી તેમના જીવનને દેશની સેવા માટે સમર્પિત કરવાની પ્રેરણા મળવી જોઈએ."
NEET પરીક્ષા ના ટોપર વેદ પટેલ, વિધેય દવે, રીવા શાહ અને દેવાંશ જોષી અને JEE એડવાન્સ સ્ટાર પર્ફોર્મર મૃગાંગ ગોયલ (પરીક્ષા આયોજિત કરનાર સંસ્થા ની આન્સર કી આધારે) સાથે ટોપર ટોકમાં વિદ્યાર્થીઓની વાતચીત થઈ. આ ટોપરો એ NEET અને JEEની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને કુલ અભ્યાસ માટે કેવી રીતે તૈયારી કરવી તે વિષે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં એલેન અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક અને દેશભક્તિ નૃત્ય અને સંગીત પ્રસ્તુત કરાયું.
કાર્યક્રમ પૂર્ણ થયા પછી સિંધુ ભવન રોડ કાર્યાલય એલેન - સાધ્યા એસબીઆરમાં નવિન મહેશ્વરીની ઉપસ્થિતિમાં ટેલેન્ટેક્સ 2025નું લોન્ચિંગ કરવામાં આવ્યું. ટેલેન્ટેક્સ 2025 ધોરણ 6 થી 11ના વિદ્યાર્થીઓ માટે એક રાષ્ટ્રીય સ્તરના મંચ છે જેમાં વિદ્યાર્થીઓ 250 કરોડ રૂપિયાની સ્કોલરશિપ અને કુલ 2.5 કરોડ રૂપિયાના નકદ પુરસ્કાર માટે હાજર થઈ શકે છે.
અમદાવાદ : ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ્સ અદાણી ફાઉન્ડેશન સાથે અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીના જન્મદિવસે ગુજરાતના સાંઘીપુરમ પ્લાન્ટ ખાતે અદાણી મેડિકલ સેન્ટરના ઉદ્ઘાટન કરતાં ગૌરવ અનુભવે છે. આ સેન્ટર અબડાસા અને લખપત બ્લોક્સના અંતરિયાળ ગામોના રહીશો માટે પાયાની હેલ્થકેર સુવિધાઓ પૂરી પાડવા માટે પૂરેપૂરી રીતે સજ્જ છે.
નર્મદા જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં અપાતા ગુણવત્તાયુક્ત શિક્ષણના પરિણામે વાલીઓનો વિશ્વાસ વધ્યો છે, આ વાતની સાબિતી આપતા ૪૬૬ બાળકોએ ખાનગી શાળાનો મોહ છોડી સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ લીધો છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તામાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે કરાયેલા પ્રયત્નોનો આ પડઘો છે.
ગુજરાત સરકારે માર્ચમાં ધોરણ 9 થી 12 સુધીની પાત્રતા ધરાવતી કન્યા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે 2 યોજનાઓ શરૂ કરી હતી અને આ યોજનાઓ માટે 4 લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ નોંધણી કરાવી છે.