પાટણના વિલાજ દ્વારા અમદાવાદના આંગણે અમરનાથ ધામ બનાવાયું
પાટણ બિલ્ડર્સ એ અમદાવાદમાં સુંદર અમરનાથ ધામનું નિર્માણ કર્યું છે.
(પ્રતિનિધિ દ્વારા નિતીન ઠાકર)ચાણસ્મા: પાટણના બિલ્ડર લાલેશભાઈ ઠક્કર અને કનુભાઈ દ્વારા વિલાજ ગ્રુપના બેનર નીચે અમદાવાદના એસજી હાઇવે ઉપર આવેલા બાલાજી મંદિર ની નજીક એરિસ્ટો એન્ડ રિસોર્ટ ની જગ્યામાં અમરનાથ બર્ફીલા શિવાલયનું દર્શન થાય તે માટે તેમજ બદ્રીનાથ કેદારનાથ ના દર્શનની અનુભૂતિ થાય તે માટે રમણીય સ્થળ બનાવવામાં આવ્યું છે.
અમદાવાદ વાસીઓ આ ધાર્મિક સ્થળનું પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે સવારે 9:00 વાગ્યાથી જ અમદાવાદ ખાતે બનાવવામાં આવેલા અમરનાથ ધામમાં દર્શનાર્થે ભક્તજનોની ભીડ જામે છે પવિત્ર શ્રાવણ માસમાં ઉત્તર ભારતના યાત્રાધામ એવા બદ્રીનાથ કેદારનાથ તેમજ બરફીલા શિવજીના લિંગ એ અનુભૂતિ તેમજ તેના દર્શન કરી શકે તેવા શુભ હેતુથી અમદાવાદ ખાતે અમરનાથ ધામનું હંગામી ધોરણે 18 સપ્ટેમ્બર સુધી નિર્માણ કરાયું હોવાનું વિલાજ ગ્રુપના લાલેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયું; દાડમનું ઉત્પાદન ૧૮,૧૧૯ મે. ટન નોંધાયું.