Yuzvendra Chahal: ધનશ્રીથી છૂટાછેડાની અટકળો વચ્ચે, ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે તેનું મૌન તોડ્યું
ભારતીય ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી બધુ બરાબર નથી. કહેવામાં આવી રહ્યું છે કે બંને જલ્દી છૂટાછેડા લઈ શકે છે. આ સમાચાર આવ્યા બાદ ચહલ અને ધનશ્રી છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે.
ભારતીય ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી બધુ બરાબર નથી. કહેવામાં આવી રહ્યું છે કે બંને જલ્દી છૂટાછેડા લઈ શકે છે. આ સમાચાર આવ્યા બાદ ચહલ અને ધનશ્રી છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે. હાલમાં જ ધનશ્રીએ આ અહેવાલો પર પોતાનું મૌન તોડ્યું હતું અને સોશિયલ મીડિયા પર ટ્રોલને નિશાન બનાવ્યું હતું. તે જ સમયે, હવે ચહલે પણ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ બાબતે પોતાનો અભિપ્રાય આપ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમની બહાર રહેલા ચહલે તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર ધનશ્રી સાથેની પોતાની તસવીરો હટાવી દીધી હતી અને ત્યારથી એવી અટકળો શરૂ થઈ હતી કે બંને વચ્ચે બધુ બરાબર નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આનાથી ચહલ અને ધનશ્રી વચ્ચે છૂટાછેડાના સમાચારને બળ મળ્યું છે. આ રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચહલ અને ધનશ્રી એકબીજાથી અલગ થવાનો નિર્ણય લઈ શકે છે.
આ દરમિયાન ચહલે ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ કરી છે. તેણે લખ્યું, હું મારા ચાહકોનો તેમના પ્રેમ અને સમર્થન માટે આભારી છું જેના વિના હું અહીં સુધી પહોંચી શક્યો ન હોત. પરંતુ આ પ્રવાસ હજુ પૂરો થયો નથી કારણ કે મારે મારા દેશ, ટીમ અને ચાહકો માટે ઘણી ઓવરો ફેંકવાની છે. મને એક ખેલાડી હોવાનો ગર્વ છે, પરંતુ હું કોઈનો પુત્ર, ભાઈ અને મિત્ર પણ છું. હું તાજેતરની ઘટના વિશે લોકોની ઉત્સુકતાને સમજું છું, ખાસ કરીને મારા અંગત જીવન વિશેના સમાચારો. મેં કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર અટકળો જોયા જે સાચી હોઈ શકે કે ન પણ હોય.
ચહલે આગળ લખ્યું કે, એક પુત્ર, ભાઈ અને મિત્ર હોવાને કારણે હું દરેકને વિનંતી કરું છું કે આ અટકળો પર ધ્યાન ન આપો કારણ કે તેનાથી મને અને મારા પરિવારને નુકસાન થઈ રહ્યું છે. મારા કૌટુંબિક મૂલ્યોએ મને હંમેશા દરેક માટે શુભેચ્છા પાઠવવાનું શીખવ્યું છે. આટલું જ નહીં, હું હંમેશા શોર્ટકટને બદલે સમર્પણ અને મહેનત દ્વારા સફળતા પ્રાપ્ત કરવાનું શીખ્યો છું. હું સહાનુભૂતિ નહીં પણ તમારો પ્રેમ અને સમર્થન મેળવવાનો હંમેશા પ્રયત્ન કરીશ. બધાને પ્રેમ.
સૂર્યકુમાર યાદવે T20 ક્રિકેટમાં પોતાના આઠ હજાર રન પૂરા કર્યા છે. તેમના પહેલા ફક્ત ચાર ભારતીય બેટ્સમેન આ સિદ્ધિ મેળવી શક્યા છે. સૂર્યાએ KKR સામે ટૂંકી પણ આક્રમક ઇનિંગ રમી.
ઋષભ પંત અત્યાર સુધી પોતાની ટીમ માટે એવું કંઈ કરી શક્યો નથી, જેનાથી ખબર પડે કે તે 27 કરોડ રૂપિયાનો ખેલાડી છે. હવે ટીમ તેની આગામી મેચ ઘરઆંગણે એટલે કે લખનૌમાં પંજાબ કિંગ્સ સામે રમશે.
IPL 2025 ની 11મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને ચેન્નાઈને ૧૮૩ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.