રાજપીપલાના શ્રી રત્નસિંહજી મહીડા કોમર્સ કોલેજમાં ઘરેલુ હિંસા અંગે જાગૃતિ શિબિર યોજાઈ
નર્મદા જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શ્રી રત્નસિંહજી મહીડા કોમર્સ કોલેજ રાજપીપલા ખાતે ‘ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજપીપલા : નર્મદા જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શ્રી રત્નસિંહજી મહીડા કોમર્સ કોલેજ રાજપીપલા ખાતે ‘ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં પધારેલા અતિથિ વિશેષ નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વનીતાબેન વસાવા તેમજ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી જે.બી.પરમારે ઘરની મહિલા પર થતી શારીરિક, માનસિક, શાબ્દિક તેમજ ભાવનાત્મક હિંસા “ઘરેલુ હિંસા અધિનિયમ-ર૦૦પ”, કાયદાકીય જોગવાઈઓ તેમજ કલમો વિશે વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતુ.
આ શિબિરમાં કોલેજના આચાર્ચ શ્રી હિતેશભાઈ ગાંધી, ડીએચઈડબલ્યુ પ્રોજેક્ટ હેડ શ્રી પ્રણવભાઈ એરડા, પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર-મહિલા પોલીસ સ્ટેશનના કાઉન્સલર સુશ્રી હિરલ વસાવા અને શ્રીમતી દિપીકાબેન ચૌધરી, ૧૮૧ અભયમ ટીમના શ્રી જીગશાબેન, સખીવન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક શ્રી ગંગાબેન, યુનીસેફ પ્રતિનિધિ શ્રી સુરેખાબેન, મહિલા અને બાળ વિભાગના ફિલ્ડ ઓફિસર સુશ્રી પાયલબેન દેગડવાલા સહિતના કર્મયોગીઓ અને કોલેજની વિદ્યાર્થીનીઓ હાજર રહ્યાં હતા.
PM મોદીનું વિકાસ ભારત 2047 વિઝન ભારતના વિકાસ માટે પરિવર્તનશીલ માર્ગ નક્કી કરે છે, જેમાં ગુજરાત તેની અસાધારણ સિદ્ધિઓ દ્વારા મુખ્ય ભૂમિકા ભજવે છે.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.