ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવીનો વધુ એક માનવીય અભિગમ
કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોના પરિણામે લંડન ખાતે મૃત્યુ પામેલ સ્વશ્રી વૃન્દ વિપુલ પટેલની ડેડ બોડીને ભારત પરત લાવવા મળી સફળતા
રાજ્યના નાગરિકોની સુખાકારી માટે અને એમના પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવા રાજ્ય સરકાર સંવેદનશીલ અભિગમ સાથે સતત પ્રયત્નશીલ છે. રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવી નાગરિકોને રાજ્યમાં અને રાજ્ય બહાર સતત મદદરૂપ બની રહ્યા છે. તાજેતરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસો ના પરિણામે લંડન ખાતે મૃત્યુ પામેલ સ્વ.શ્રી વૃન્દ વિપુલ પટેલની ડેડ બોડીને ભારત પરત લાવવા સફળતા મળી છે જે માટે પરિવારજનો એ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે.
ગૃહ અને એન.આર.જી મંત્રીશ્રી ના કાર્યાલયમાં તા.૧૯/૦૮/૨૦૨૩ના રોજ વોટેસ એપ મારફતે લંડન ખાતે મૃત્યુ પામેલ સ્વ.શ્રી વૃન્દ વિપુલ પટેલની ડેડ બોડીને લંડનથી ભારત ખાતે પરત લાવવા અગે ની રજુઆત મળી હતી તેને ધ્યાને લઈને ગૃહમંત્રીશ્રી સંધવીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પરામર્શમા રહીને તાત્કાલિક ધટતી કાર્યવાહી કરવા આવી હતી.
મંત્રીશ્રીનાએ અરજદારની રજુઆતને લંડન ખાતે આવેલ ભારતની હાઈ કમિશનરશ્રીની કચેરીને ધટતી કાર્યવાહી હેતુ ઇમેઇલથી મોકલી આપવા જણાવ્યું હતું અને એન.આર.જી વિભાગ દ્વારા આ અંગે ભારતની હાઈ કમિશનરશ્રીની કચેરી દ્વારા તા.૨૧/૦૮/૨૦૨૩ના રોજ આ બાબતે ધટતી કાર્યવાહી માટે હકારાત્મક પ્રત્યુત્તર મળ્યો હતો. ત્યારબાદ તા. ૨૮/૦૮/૨૦૨૩ના રોજ તેઓને પુન : સત્વરે ધટતુ કરવા આ કચેરી દ્વારા રીમાઇન્ડર ઇમેઇલ પાઠવવામાં આવ્યો હતો. અને તા.૩૦ તથા ૩૧ ઓગષ્ટ ૨૦૨૩ ના રોજ ડેપ્યુટી હાઇ કમિશ્નરશ્રી સુજીત ઘોષ સાથે ટેલિફોનિક વાત પણ કરવામાં આવી હતી.
આ સંદર્ભે ભારતની હાઈ કમિશનરશ્રીની કચેરીના તા.૩૦/૦૮/૨૦૨૩ના ઇ-મેઇલ થી લંડન ખાતે મૃત્યુ પામેલ સ્વ. શ્રી વૃન્દ વિપુલ પટેલની ડેડ બોડીને લંડનથી ભારત ખાતે પરત લાવવા માટે પરિવહન માટે તેઓએ એન.ઓ.સી.આપીને તમામ કામગીરી પૂર્ણ કરી જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડીસા તાલુકાના દામા ગામે બનાસ ડેરીના પ્રયાસોથી સ્થાપવામાં આવેલા એક આધુનિક સીમેન પ્રોડક્શન યુનિટનું ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા વર્ચુઅલ લોકાર્પણ કર્યુ હતું.
મેદસ્વિતા સામે લડીને વધુમાં વધુ સ્વસ્થ નાગરિકો કઈ રીતે થઈ શકે એ માટે ગુજરાતમાં 'સ્વાસ્થ્ય ગુજરાત - મેદસ્વીતા મુક્ત ગુજરાત' શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવી મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મેદસ્વિતા સામે અભિયાન શરૂ કરનારું ગુજરાત દેશનું સર્વ પ્રથમ રાજ્ય છે.
દેશના વર્તમાન વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ખુશ્બૂ ગુજરાત કી…’ જેવા કેમ્પેઇન દ્વારા દેશવિદેશથી પ્રવાસીઓ ગુજરાત આવતાં થયા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.