નર્મદા જિલ્લામાં વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ મેળવવાનો અનેરો અવસર
૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ તા.૩૧ ઓગસ્ટ, ૨૦૨૩ સુધીમાં નોંધણી કરાવી શકશે.
રાજપીપલા :- રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા રાજ્યમાં વસતા અનુસુચિત જનજાતિના
૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે તાલુકાકક્ષાની વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. નર્મદા જિલ્લામાં નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં પણ આગામી સપ્ટેમ્બર માસમાં નિયત કરેલ સ્થળે ૪૫ યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે. જ્યાં વિષય નિષ્ણાંતો, તજજ્ઞો દ્વારા શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના-રચનાની કાર્ય પધ્ધતિ સહિત પંચાયતી માળખા વિશે માહિતગાર
કરાશે.
ઉપરાંત, કુશળ નેતૃત્વના ગુણો વિકસાવવા, સામાજિક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક-યુવતીઓમાં છુપાયેલ કૌશલ્યને રચનાત્મક દિશા આપી માર્ગદર્શિત કરવામલ સહિત
તાલીમાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ આસનો કરવાથી થતા લાભ અને તેની સમજ પુરી પાડવામાં આવશે.
આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક યુવક-યુવતીઓએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રૂમ નં-૨૧૭ બીજો માળ, જિલ્લા સેવા સદન, રાજપીપળા ખાતે સંપર્ક કરવાનો રહેશે. તા. ૩૧ ઓગસ્ટ,
૨૦૨૩ સુધીમાં નામ નોંધણી કરવા અંગે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રાજપીપલા, જિ.નર્મદાની અખબારી યાદીમાં જણાવાયું છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.