અરવિંદ કેજરીવાલ ED રિમાન્ડમાં રહેશે... નીચલી કોર્ટ બાદ તેમને હાઈકોર્ટમાંથી પણ લાગ્યો ઝટકો
Arvind Kejriwal Arrest : દિલ્હી દારૂ કૌભાંડ હેઠળ કુલ બે કેસ નોંધાયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ મની ટ્રેઇલની તપાસ કરી રહ્યું છે.
નવી દિલ્હી. હાઈકોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામેની અરજી પર તેમને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. અરજીને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે કસ્ટડી દરમિયાન EDએ કેટલાક તથ્યો એકત્રિત કર્યા હશે, જેને તે સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ રજૂ કરવા માંગે છે. આ તથ્યો આ અરજી માટે પણ મહત્વપૂર્ણ રહેશે. અમે EDને સાંભળ્યા વિના આ અંગે નિર્ણય લઈ શકીએ નહીં. કેસની આગામી સુનાવણી 3 એપ્રિલે થશે. સવારે હાઈકોર્ટે સીએમ કેજરીવાલ અને ઈડીની દલીલો સાંભળ્યા બાદ પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.
ED તરફથી હાજર રહેલા ASJ રાજુએ મુખ્યમંત્રીને રાહત આપવાનો વિરોધ કર્યો હતો. તેમણે મુખ્યમંત્રી વતી હાજર રહેલા વકીલોની ફોજ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. EDનું કહેવું છે કે ગોવાની ચૂંટણીને ફંડ આપવા માટે સીએમ કેજરીવાલે લિકર પોલિસીની મદદથી સાઉથ ગ્રુપને ફાયદો કરાવ્યો હતો. તેના બદલામાં તેમને ગોવાની ચૂંટણીમાં ઘણું ફંડ મળ્યું હતું. સીએમ કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કહ્યું કે એવું ન થઈ શકે કે કોઈ દિવસ તમે કહો કે અમે તમારી ધરપકડ કરવા માંગીએ છીએ, કારણ કે અમારી પાસે ધરપકડ કરવાનો અધિકાર છે. તેથી ધરપકડ કરવાની ઈચ્છા પૂરી કરવા અમે ધરપકડ કરી રહ્યા છીએ.
"મુંબઈમાં ૯૦ વર્ષ જૂના જૈન મંદિરના ધ્વંસથી જૈન સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો. BMC ની કાર્યવાહી અને ધાર્મિક સંવેદનશીલતાનો મુદ્દો જાણો."
મધ્ય પ્રદેશની BJP MLA ઉષા ઠાકુરે લોકતંત્રને વેચનારા લોકોને ઊંટ, ઘેટા-બકરાં, કુતરા અને બિલાડાના રૂપમાં પુનર્જન્મ લેતા કહ્યા છે. આ નિવેદન વિવાદનું કેન્દ્ર બન્યું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની 800 કરોડની સંપત્તિ પર સીલ લગાવવામાં આવી છે. મની લોન્ડરિંગ કેસમાં આ મોટી કાર્યવાહી જાણો.