વિરમગામ ખાતે ગણપતિ દાદાના પ્રસાદરૂપે ૧૦૦થી વધુ સગર્ભા બહેનોને સુખડી વિતરણ કરાયું
સીએમએમ ભારત દ્વારા આયોજિત કાર્યક્રમમાં નગરપાલિકાના સફાઈ કર્મચારી સોનલબેન વાઘેલાના હસ્તે સુખડી વિતરણ કરવામાં આવ્યું.
વિરમગામ : તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે ગણેશોત્સવ દરમ્યાન ગણપતિ દાદાને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. સીએમએમ ભારત દ્વારા વિરમગામના ૧૦૦થી વધુ સગર્ભા બહેનોને ગણપતિ દાદાના પ્રસાદ રૂપે સુખડી આપવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસ ખાતે વિરમગામ નગરપાલિકાના સફાઈ કર્મચારી સોનલબેન નરેશભાઈ વાઘેલા તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ૨૦ સગર્ભા બહેનોને સુખડી આપવામાં આવી હતી અને બાકીના ૮૦થી વધુ સગર્ભા બહેનોને આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે સુખડી પહોંચાડવામાં આવી હતી.
ઉપસ્થિત તમામ લોકો દ્વારા વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની આરતી ઉતારવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામ લોકોનો સીએમએમ ભારતના વંદના નીલકંઠ વાસુકીયા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, સગર્ભાવસ્થા દરમ્યાન સાકર, વરીયાળી વાળુ દુધ, જેઠી મધ વાળુ દુધ, માખણ, ઘી, મધ, જુના ચોખા, સંચળ યોગ્ય માત્રામાં લેવુ જોઇએ.
છઠ્ઠા માસે ગોખરૂવાળુ દુધ લેવુ જોઇએ. મગ, મગનું પાણી, કઠોળ, સિંગ, સુખડી, લીલા શાકભાજી વધારે પ્રમાણમાં લેવા જોઇએ. જે ધાત્રી માતાને ધાવણ ન આવતુ હોય તો શતાવરી યુક્ત દુધ લેવાથી ધાવણ યોગ્ય માત્રામાં આવે છે. સગર્ભાવસ્થા દરમ્યાન યોગ્ય માત્રામાં આયર્ન, ફોલીક એસીડ તથા કેલ્શીયમની ટેબલેટ લેવી જોઇએ. સગર્ભાવસ્થા દરમ્યાન ઓછામાં ઓછી ૪ તપાસ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં કરાવવી જોઇએ. સગર્ભાવસ્થા દરમ્યાન પોતાની ઋચી અનુસારના પુસ્તકો તથા ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઇએ.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણમાં નવનિર્મિત પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિદાસ પરિવાર અનુપમ પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન કર્યું. મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત, આ શાળા શિક્ષણ અને ગ્રામીણ વિકાસ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC) પોલિસી 2025-30 લોન્ચ કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમનું આઠમું સંસ્કરણ અમદાવાદની શાળાઓમાં પ્રસારિત કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્ત્રાલ સ્થિત ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં પ્રસારણમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનાથી પરીક્ષાની તૈયારી અને તણાવ વ્યવસ્થાપન પર અર્થપૂર્ણ ચર્ચા થઈ હતી.