વડોદરાના નવા જિલ્લા કલેક્ટર તરીકે શ્રી બી. એ. શાહે પદભાર સંભાળયો
વડોદરાના જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા અતુલ ગોરની મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે બદલી થતાં તેમના સ્થાને નિયુક્ત પામેલા બીજલ શાહે આજે જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે વિધિવત્ત પદભાર સંભાળી લીધો છે.
વડોદરા : વડોદરાના જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા શ્રી અતુલ ગોરની મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે બદલી થતાં તેમના સ્થાને નિયુક્ત પામેલા શ્રી બીજલ શાહે આજે જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે વિધિવત્ત પદભાર સંભાળી લીધો છે. નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ અને તેમની આગેવાનીમાં અન્ય અધિકારીશ્રીઓએ શ્રી બીજલ શાહનું સ્વાગત કર્યું હતું.
આ સાથે જ તેમણે પ્રાંત અધિકારીશ્રીઓ અને મામલતદારો સાથે પરિચયાત્મક બેઠક યોજી સરકારના વિવિધ પ્રોજેક્ટની માહિતી મેળવી હતી.
પદભાર સંભાળ્યા બાદ શ્રી બી. એ. શાહે જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લાના સમગ્રતયા વિકાસ માટેના પ્રયત્નોને આગળ ધપાવવામાં આવશે. જિલ્લામાં સેવાકીય બાબતો અને આંતરમાળખાકીય સુવિધાઓનો વ્યાપ વધારીને આયામોમાં સતત પ્રગતિ કરવામાં આવશે. સુઓમોટો વારસાઈ ઝુંબેશ હેઠળ ડોરસ્ટેપ સુધી જઈને વારસાઈની એન્ટ્રી પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત જિલ્લાના નાગરિકોની જનસુખાકારી અને જન સુવિધાઓમાં વધારો થાય તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વિવિધ સરકારી યોજનાઓનો અસરકારક અમલ થાય તે માટે સતત કાર્યશીલ રહીશું.
વડોદરા જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર શ્રી શાહ આ અગાઉ જામનગર અને બોટાદમાં જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી પોતાની વહીવટી કુશળતાનો પરિચય આપી ચૂક્યા છે. શ્રી બીજલ શાહ ૨૦૦૯ ની બેચના સનદી અધિકારી છે.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી