ઉપલેટા તાલુકાના અરણી ગામે પ્રાથમિક શાળાયે તાલુકા કક્ષાનો સ્વતંત્ર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી
ભાયાવદર પો.સ્ટે ના અરણી ગામે પ્રાથમિક શાળા ખાતે ૭૭ મો રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર દિન ૧૫ મી ઓગસ્ટની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જે કાર્યક્રમમાં માનનીય એમ.ટી.ધનવાણી મામલતદાર સાહેબ ઉપલેટા ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ અને કાર્યક્રમ મહેમાનો માનનીય ભાવસિંહ પરમાર તાલુકા વિકાસ અધિકારી તથા આ ધ્વજવંદનના કાર્યક્રમમાં પો.સબ. ઇન્સ આર.વી.ભીમાણી સાહેબ ભાયાવદર પો.સ્ટે નાઓ પરેડ કમાન્ડર રહેલ હતા.
ભાયાવદર પો.સ્ટે ના અરણી ગામે પ્રાથમિક શાળા ખાતે ૭૭ મો રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર દિન ૧૫ મી ઓગસ્ટની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જે કાર્યક્રમમાં માનનીય એમ.ટી.ધનવાણી મામલતદાર સાહેબ ઉપલેટા ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ અને કાર્યક્રમ મહેમાનો માનનીય ભાવસિંહ પરમાર તાલુકા વિકાસ અધિકારી તથા આ ધ્વજવંદનના કાર્યક્રમમાં પો.સબ. ઇન્સ આર.વી.ભીમાણી સાહેબ ભાયાવદર પો.સ્ટેનાઓ પરેડ કમાન્ડર રહેલ હતા. અને જવાનો તેમજ હોમગાર્ડ પ્લાતૂન તથા જીઆરડી પ્લટૂન જોડાયેલ હતા.
ભાયાવદર પોલીસ સ્ટેશનના જમાદાર જયેશભાઈ પણ જોડાયા હતાઅને ગામના સરપંચ પ્રફુલાબેન જયંતીભાઈ વૈષ્નાણી તથા વિનોદભાઈ ચંદ્રવાડીયા ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ તથા ભીમાભાઇ ચાવડા ઉપલેટા તાલુકા પંચાયત ઉપપ્રમુખ તથા જતીનભાઈ ભાલોડીયા મોટી પાનેલી ઉપસરપંચ તથા જયંતીભાઈ બરોચીયા ઉપલેટા શહેર માર્કેટિંગ યાર્ડ ચેરમેન તથા રાકેશભાઈ વૈશ્નાણી ઉપલેટા તાલુકા પંચાયત સદસ્ય તથા કાનાભાઈ ભારાઈ રબારી સમાજ આગેવાન તથા અરણી ગામના આગેવાનો તથા ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ વિગેરે હાજર રહેલા હતા. અને ધ્વજ વંદન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ૭૪ મો વન મહોત્સવ કાર્યક્રમ નું આયોજન વન વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા જેમાં વૃક્ષોનું જતન કરવું તેમજ વૃક્ષોની સંભાળ રાખવી વગેરે માહિતી આપવામાં આવેલ તેમજ વૃક્ષારોપણ કરવામાં આવેલ અને વૃક્ષો ના રોપા નું વિતરણ કરવામાં આવેલ.
"અમદાવાદ અને સુરતમાં ગુજરાત પોલીસની મોટી કાર્યવાહીમાં 1000થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત. જાણો દસ્તાવેજોની ચકાસણી, પોલીસની રેડ અને હર્ષ સંઘવીની ચેતવણી વિશે સંપૂર્ણ માહિતી."
"અમદાવાદ-ગાંધીનગર મેટ્રોની નવી સેવા 27 એપ્રિલ, 2025થી શરૂ! સચિવાલય અને ગિફ્ટ સિટી સુધી 7 નવા સ્ટેશનો સાથે ઝડપી અને સુરક્ષિત મુસાફરી. જાણો ટાઈમટેબલ, ટિકિટ દર અને લાભો વિશે વિગતવાર માહિતી."
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતના માધ્યમથી સમગ્ર દેશમાં કુલ ૪૭ સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અંદાજે ૫૧ હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.